જૂનાગઢ

કોરોના વાયરસના કહેર વચ્ચે મહિનો સુધી બંધ રહ્યા બાદ સ્કૂલોને ખોલવામાં આવી છે. કોરોનાના ભય વચ્ચે સ્કૂલો ખોલતા વિદ્યાર્થીઓ અને વાલીઓમાં કોરોના ફેલાય એનો ભય જાેવા મળ્યો હતો. જાેકે, શાળાઓ ખૂલ્યા બાદ જૂનાગઢ જિલ્લામાં આવેલા કેશોદમાં ટ્રસ્ટ સંચાલિત એક સ્કૂલમાં ૧૧ વિદ્યાર્થિનીઓને કોરોનાના લક્ષણો જાેવા મળતા ફફડાટ ફેલાયો હતો.

મળતી માહિતી પ્રમાણે કેશોદમાં આવેલી ટ્રસ્ટ સંચાલિત કે.એ. વણપરિયા કન્યા વિનય મંદિરમાં ૧૧ વિદ્યાર્થિનીઓને કોરોના પોઝિટિવના લક્ષણો જાેવા મળ્યા હતા. જેના પગલે સ્કૂલ સંચાલકો સહિત વાલીઓમાં ફફડાટ ફેલાયો હતો.

સ્કૂલમાં પ્રવેશતાં પહેલા ધોરણ ૧૦-૧૨ની વિદ્યાર્થિનીઓને ટેસ્ટ કરતા ૧૧ વિદ્યાર્થિનીઓ પોઝિટિવ નીકળી હતી. એક જ સ્કૂલમાં અભ્યાસ કરતી ૩ હોસ્ટેલની અને ૮ શહેરની મળીને કુલ ૧૧ વિદ્યાર્થિનીઓ કોરોનાના લક્ષણ જાેવા મળ્યા હતા.

ઘટનાની જાણ થતાં જ અર્બન વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. વધુ મળતી માહિતી પ્રમાણે કુલ ૧૨૨ વિદ્યાર્થિનીઓના એન્ટીજન ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાંથી ૧૧ વિદ્યાર્થિનીઓમાં લક્ષણો જાેવા મળ્યા હતા. તંત્ર દ્વારા લક્ષણો ધરાવતી તમામને હોમ ક્વોરન્ટાઈન કરવામાં આવી છે અને સ્કૂલ અને હોસ્ટેલને સેનિટાઈઝ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે જામનગરના જાેડિયામાં પણ સ્કૂલ ખુલ્યા બાદ એક વિદ્યાર્થિનીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.