વલસાડ,તા.૧ 

જામનપાડાના તરૂણના કોરોનાગ્રસ્ત થયા બાદ તા.૩૦મીએ છાંયડો હોસ્પિટલ પાછળ ખેરગામના શાંતિ નગર સોસાયટીમાં રહેતા શ્રીમતિ બબીતા અશોકભાઈ પટેલ તથા તેમની દિકરી હિરાણીના લેવાયેલા નમૂનાના પરિક્ષણો બાદ કોરોના પોઝિટિવ આવતા આજરોજ  માદિકરીને યશફિન-નવસારીમાં સઘન સારવાર માટે આઈસોલેશન વોર્ડ માં દાખલ કરાયા છે.સોસાયટીના આઠ ઘરોના ૪૫ વ્યક્તિને કોરોનટાઈન ઝોનમાં મૂકાયા છે.નવસારી જિલ્લામાંથી આજના આઠ નમૂનામાં એક નેગેટીવ છે, બધાની પ્રવાસી વિગત નથી. જેથી મા-દિકરી કેવી રીતે ઝપટમાં આવ્યાં તે તપાસનો વિષય છે. દરેક નાગરિકને બે ગજ દૂરી -માસ્ક પહેરવું અનિવાર્ય છે.ખેરગામમાં મા-દિકરી કોરોનાગ્રસ્ત થતા યશફીનમા મોકલાયા છે.અશોકભાઈ તથા તેમની બીજી દિકરી ધારાને નવા નિયમ મુજબ સ્વગ્રૃહે જ કોરોન્ટાઈન કરાયા છે.