પશ્ચિમ બંગાળના પૂર્વ મિદનાપુર જિલ્લાના મંદારમણિમાં સોમવારે સવારે એક વિશાળકાય વ્હેલ સમુદ્ર કિનારે તણાઈને આવી હતી. સૂત્રો દ્વારા મળેલી માહિતી મુજબ, કિનારા પર તણાઇ આવેલી વ્હેલની તપાસ કરવા માટે વન વિભાગની ટીમ આવી. જેમણે વ્હેલને મૃત જાહેર કરી છે.