નડિયાદ, તા.૨૦ 

ખેડા જિલ્લાના નડિયાદ શહેરમાં આજે વધુ નવ દર્દીએ કોરોનાને મ્હાત આપી સ્વસ્થ થતાં ઘરે મોકલવામાં આવ્યાં હતાં. આજે ઘરે મોકલવામાં આવેલાં નવેનવ દર્દી શ્લોક હોસ્પિટલમાં સારવાર લીધી હતી. આ દર્દીઓમાં ૭૭ વર્ષીય જયંતકુમાર ભટ્ટ, ૬૮ વર્ષીય અબ્દુલ રસીદ વોરા, ૬૦ વર્ષીય મહમંદ રફિક મલેક, ૪૧ વર્ષીય વિકાસ ઠાકોર, ૬૬ વર્ષીય કાન્‍તાબેન પ્રજાપતિ, ૬૮ વર્ષીય ઓગસ્‍ટીનભાઇ ઠાકોર, ૪૪ વર્ષીય ઉર્વીશભાઇ શાહ, ૫૨ વર્ષીય શૈલેષભાઇ મિસ્‍ત્રી, ૬૬ વર્ષીય જીતેન્‍દ્રભાઇ દેસાઇ સામેલ છે. કોરોના વાઇરસની સારવાર માટે નડિયાદ શ્લોક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્‍યા હતા. તેઓની નિયત સારવાર થતાં રજા આપવામાં આવી હતી. ડિસ્ચાર્જ વખતે સ્‍ટાફ દ્વારા તમામને ગુલાબ અર્પણ કરી તેમના સારા સ્‍વાસ્‍થ્‍ય અંગે શુભેચ્છા આપવામાં આવી હતી. આ પ્રસંગે હોસ્પિટલના ડોક્ટર એન.ટી.શાહ તથા સ્‍ટાફ ઉપસ્થિત રહ્યો હતો.