અમદાવાદ

શહેરના રામોલ પોલીસ સ્ટેશનમાં પોલીસ કર્મીઓ જાે કોરોના પોઝીટીવ થાય તો તેમના માટે આઈસોલેશન રૂમ બનાવવામાં આવ્યા છે. આ રૂમમાં ૫ નોર્મલ બેડ અને ૨ ઓક્સિજન બેડની સુવિધા આપવામાં આવી છે. પોલીસ કર્મી ઘરે આઈસોલેશનમાં ના રહી શકે તેથી અંહી રાખવામાં આવશે, તથા ડોક્ટર પણ દિવસમાં ત્રણ વખત વિઝીટ કરતા રહેશે. પોલીસ સ્ટેશનમાં ઓક્સિજન સહીતનો આઈસોલેશન રૂમ બનાવ્યા હોવાનો શહેરમાં પ્રથમ કિસ્સો છે.

શહેરમાં સૌ પ્રથમ વખત રામોલ પોલીસ સ્ટેશનમાં આઇસોલેશન રૂમ બનાવવામાં આવ્યો છે. ૫ નોર્મલ આઇસોલેશન બેડ અને ૨ ઓક્સિજન બેડ બનાવવામાં આવ્યા છે. ખાસ કરીને પોલીસ કર્મીને કોરોનાની અસર થતા તે ઘરે આઇસોલેશનમાં ના રહી શકે તેથી તેને અહીં રાખવામાં આવશે. બીજી તરફ ૨ ઓક્સિજન બેડની વ્યવસ્થા કરાઈ હતી. દિવસ દરમિયાન ડોક્ટર ૩ વખત વિઝીટ કરશે. જે પોલીસકર્મીઓ આઇસોલેશનમાં રહેશે તેમને નાસ્તો અને જમવાનું પણ આપવામાં આવશે.

શહેરમાં કોરોના ના કારણે સ્થિતિ બગડી રહી છે. સામાન્ય લોકોને દાખલ થવા માટે હોસ્પિટલમાં જગ્યા નથી લોકોને ઓક્સિજન મળી રહ્યો નથી. તેવામાં શહેરના રામોલ પોલીસ સ્ટેશનમાં પ્રથમ વખત આઇસોલેશન રૂમ બનાવવામાં આવ્યા છે.

રામોલ પીઆઇ કે એસ દવેએ ડોક્ટર અને લોકોનો સહયોગ મેળવી પોલીસ સ્ટેશન નજીક જ આઇસોલેશન વોર્ડની વ્યવસ્થા કરવામાં આવી છે. આમ મહત્વની વાત એ છે કે, જે પણ પોલીસ કર્મીને કોરોનાની અસર થશે તેમને તાત્કાલિક સારવાર માટે આઇસોલેશન રૂમ માં રાખવામાં આવશે. તેમને જરૂરી દવા અને ડોક્ટર દ્વારા દિવસમાં ત્રણ વાર તપાસવામાં આવશે. આમ વધુ તકલીફ પડશે તો ઓક્સિજન વ્યવસ્થા કરવામાં આવી છે. આમ વધુ તકલીફ પડશે તો તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે, શહેરમાં પોલીસ માટે સૌ પ્રથમ વખત કોઈ પોલીસ સ્ટેશનમાં આવી વ્યવસ્થા થતા પોલીસ બેડામાં આનંદની લાગણી ફેલાઇ છે. આ અંગે ઝોન ૫ ના ડીસીપી અચલ ત્યાગીએ જણાવ્યું હતું કે, પહેલા બાપુનગર આઇસોલેશન રૂમ બનાવ્યો હતો જાેકે પહેલીવાર ઓક્સિજન સહિત અન્ય સુવિધાઓ સાથે આ પ્રથમ વ્યવસ્થા પોલીસ માટે ગોઠવાઈ છે.