દાહોદ તા.૨૭ 

એક તરફ કોરોના વૈશ્વિક મહામારી અને બીજી તરફ દાહોદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં માનવ ભક્ષી દિપડાના આતંકથી લોકોને હવે ઘરની બહાર નીકળવું મુશ્કેલ બની રહ્યું છે. કોઈને કોઈ દિને દિપડાના આતંકના સમાચારથી ગ્રામ્ય વિસ્તારના રહીશો ભય અને ફફડાટ વચ્ચે જીવન જીવી રહ્યા છે ત્યારે આજના વધુ એક દિપડાના આતંકના કિસ્સામાં સંજેલી તાલુકાના કરંબા ગામે દિપડો ઘુસી ગયો હતો. દિપડો ઘુસી ગયાના સમાચાર સાથે જ ગામમાં ભયનો માહોલ પ્રસરી જવા પામ્યો હતો. આજ સમયે કરંબા ગામે પોતાના ખેતરમાં કામ કરી રહેલા એક ૫૫ વર્ષીય વૃધ્ધ અને તેમની સાથે એક ૩૯ વર્ષીય યુવક ઉપર આ દિપડાએ અચાનક હુમલો કર્યો હતો અને તેઓને શરીરે ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. જાેતજાેતામાં આ વિસ્તારમાં લોકોએ દિપડાને ભગાવી ઉપરોક્ત બંન્ને વ્યક્તિઓના જીવ બચાવ્યા હતા પરંતુ દિપડાના હુમલાના પગલે ગંભીર રીતે ઘાયલ આ બંન્ને વ્યક્તિઓને પ્રથમ સંજેલી સરકારી દવાખાને ખસેડવામાં આવ્યા હતા જ્યા સ્થિતીની નાજુકતા જાેઈ વધુ સારવાર અર્થે બંન્ને દાહોદની ઝાયડસ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા અને હાલ ઝાયડસ હોસ્પિટલ ખાતે ગંભીર રીતે ઘવાયેલ આ બંન્ને વ્યક્તિઓનું સારવાર ચાલી રહ્યું છે. બીજી તરફ એક્શનમાં આવેલ સંજેલી વન વિભાગની ટીમ અને દાહોદની એમ કુલ ૩ ટીમો સંજેલીના કરંબા ગામે દિપડાને રેસક્યું કરવાની કામગીરીમાં દોડી ગઈ હતી. કરંબા ગામે વન વિભાગની આ ટીમો દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતુ અને આ દિપડો કરંબાના છાયણ ફળિયામાં હોવાનું દેખાતા વન વિભાગની આ ટીમો દ્વારા દિપડાને પાંજરે પુરવાની કામગીરી આરંભી દીધી હતી. દિપડો જેવો નજરે પડતા વન વિભાગના કર્મચારીએ ટ્રેક્યુલાઈઝર ગનની ડાટ વડે દિપડાને બેહોશ કરી દેતા આ દિપડો થોડી વારમાં બેહોશ થઈ ગયો હતો અને બાદમાં આ બેહોશ દિપડાને પાંજરે પુરી દેવામાં આવ્યો હતો. વધુમાં જાણવા મળ્યા અનુસાર, આ દિપડો ઘાયલ હોવાનુ પણ જણાઈ આવ્યુ હતુ જેથી તેની સારવાર પણ હાથ ધરવામાં આવી છે.