સુરત,તા.૨૮ 

સુરત શહેરમાં દિન પ્રતિદિન કોરોના વાયરસનો કહેર વર્તાઇ રહ્ના છે. તેમ છતાં લોકો હજુ પણ સાવચેતી રાખી રહ્ના નથી. કોરોના વાયરસને અટકાવવા માટે તંત્ર દ્વારા અનેક પગલાઓની સાથે ધન્વંતરી રથની સેવા પણ શરૂ કરી છે. તેમ છતાં હજુ પણ કુદકેને ભુસકે કેસોમાં વધારો થઇ રહ્ના છે. મંગળવારે સુરત અને જીલ્લામાં રેકોર્ડ બ્રેક કેસો નોધાતા લોકોમાં ભય જાવા મળી રહ્ના છે. સુરત શહેરમાં ૧૯૯ અને જીલ્લામાં ૯૪ મળી કુલ ૨૯૩ કેસો નોધાયા છે. આ સાથે સુરતમાં અત્યાર સુધી ૧૨૮૩૯ કેસો નોધાયા છે. જેની સામે મરણાંક પણ વધી રહ્ના છે. વધુ ૧૨ ના મોત સાથે મૃત્યુઆંક ૫૬૫ પર પહોચ્યો છે.

સુરત શહેરમાં કોરોના વાયરસના હાહાકાર વચ્ચે દિન પ્રતિદિન કેસોની સંખ્યામાં વધારો નોધાઇ રહ્ના છે. તેની સાથે મોતનો આંકડો પણ વધી રહ્ના છે. સુરતમાં કોરોના વાયરસનો કહેર કંઇ રીતે ઓછો થાય તે માટે સરકાર તમામ પ્રકારના પગલા લઇ રહી છે. પરંતુ કેસો દિવસેને દિવસે વધી રહ્ના છે. તે જાતા ટેક્ષટાઇલ માર્કેટ , હિરા ઉદ્યોગ અને અન્ય દુકાનદારો સ્વૈચ્છીક લોકડાઉન તરફ વળી રહ્ના છે. કેટલાંક વેપારીઓએ કામના કલાકો પણ ઘટાડી દીધા છે. આમ લોકો હવે આરોગ્યલક્ષી ચિંતા કરવા લાગ્યા છે. મંગળવારે સુરત શહેરમાં નવા ૧૯૯ કેસો સામે આવ્યા છે. જયારે જીલ્લામાં નવા ૯૪ કેસો નોધાયા છે. આ સાથે સુરતમાં કુલ ૧૨,૧૨૮૩૯ કેસો થયા છે.

બીજી બાજુ રીકવરી રેટ પણ વધી રહ્ના છે. અત્યાર સુધી ૮,૩૮૨ લોકો સાજા થઇને ઘરે પહોચી ગયા છે. કોરોના વાયરસના કેસોની સાથે મૃત્યુના કેસો પણ વધી રહ્ના છે. મંગળવારે વધુ ૧૨ ના મોત થયા હોવાનંુ જાણવા મળ્યુ છે. અત્યાર સુધી મૃત્યુઆંક ૫૬૫ પર પહોચ્યો છે. જેમાં નવા નોધાયેલા કેસોમાં કતારગામ, વરાછામાં સૌથી વધુ કેસો હોવાનું જાણવા મળ્યુ છે. જેમાં સિવીલ અને સ્મિમેરના ડોકટરો , નર્સ , રત્ન કલાકાર વગેરે સંક્રમિત થયા છે. હાલ તો સુરતમાં ખૂબ જ ભયજનક સ્થિતિ જણાઇ રહી છે. કોરોના બેકાબૂ બનતાં ચિંતાનું વાતાવરણ યથાવત છે.