અંબાજી : નવરાત્રીના પ્રથમ નોરતે કોરોનાની મહામારીના કારણે રાજ્યભરના મંદિરોમાં તેમજ પાર્ટી પ્લોટો ખેલૈયા વગર સુમસામ જોવા મળી રહ્યા છે. રવિવારે યાત્રાધામ અંબાજી ખાતે મંદિરના ચાચરચોકમાં ૭૦ વર્ષથી ગરબાનું આયોજન કરતા નવયુવક પ્રગતિ મંડળે આ વખતે ભલે ગરબા ઉપર પ્રતિબંધ લાગ્યો હોય પણ આયોજક મંડળના સભ્યો દ્વારા માતાજીના ચાચરચોકમાં માતાજીની આરતી કરી ગરબાનું કરવઠું પૂર્ણ કર્યું હતું. મંદિરના ચાચરચોકમાં ગાયના છાણમાંથી બનાવેલા ૧૦૦૮ દીવડામાં ગાયના શુદ્ધ ઘીના દીવડા પ્રગટાવી ૧૦૦૮ દીવડાનો ગરબો કોરાવ્યો હતો.આયોજક મંડળના સભ્યો દ્વારા ચાચરચોકમાં સોશ્યિલ ડિસ્ટન્સ રાખી માતાજીની ધૂન બોલાવી હતી.આ રીતે નોરતાના પ્રથમ રાત્રી સાદગીપૂર્ણ મનાવાઇ હતી. આજ રીતે બાકીની રાત્રીએ માતાજીની આરતી ચાચરચોકમાંથી કરી નવરાત્રી મનાવશે.