દિલ્હી-

દેશમાં કોરોના દર્દીઓની સંખ્યા 11 લાખ ને વટાવી ગઈ છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 17,407 નવા કેસ નોંધાયા છે. આ સાથે, કોરોના દર્દીઓની કુલ સંખ્યા વધીને 1,11,56,923 થઈ ગઈ છે. છેલ્લા 24 કલાકમાં 89 લોકોનાં મોત થયાં. આ સાથે, આ રોગથી કુલ મૃત્યુઆંક 1,57,435 પર પહોંચી ગયો છે. ગુરુવારે સવારે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા મુજબ, દેશમાં 1,73,413 સક્રિય દર્દીઓ છે. કોરોનાથી અત્યાર સુધીમાં 1,08,26,075 દર્દીઓ પુન: સ્વસ્થ થયા છે. જ્યારે દેશનો સ્વસ્થ થવાનો દર 97.03 ટકા રહ્યો છે. અત્યાર સુધીમાં કુલ 1,66,16,048 લોકોને રસી આપવામાં આવી છે.