દિલ્હી-

દેશમાં કોરોના દર્દીઓની સંખ્યા 20 લાખ 88 હજારને વટાવી ગઈ છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 61,537 નવા કેસ નોંધાયા છે. આ સાથે, કોરોના દર્દીઓની સંખ્યા વધીને 20,88,612 થઈ ગઈ છે. તે જ સમયે, કોરોનાથી છેલ્લા 24 કલાકમાં 933 લોકોનાં મોત થયાં. આમ કોરોનાથી મૃત્યુઆંક વધીને 42,518 પર પહોંચી ગયો છે.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા મુજબ દેશમાં 6,19,088 સક્રિય દર્દીઓ છે. તે જ સમયે, એક રાહત સમાચાર છે કે, દેશમાં છેલ્લા 24 કલાકમાં 48,900 દર્દીઓ સ્વસ્થ બન્યા છે. આ અત્યાર સુધીમાં સ્વસ્થ થયેલા દર્દીઓની સૌથી મોટી સંખ્યા છે. આ સાથે, કોરોનાથી અત્યાર સુધીમાં 14,27,006 દર્દીઓ સ્વસ્થ બન્યા છે. દેશનો પુન: સ્વસ્થ થવાનો દર, વધીને 68.32 ટકા થયો છે.