ગાંધીનગર-
ગીરના જંગલોમાં સિંહોના મૃત્યુ દરને લઈ કોંગ્રેસના સાંસદ શક્તિસિંહ ગોહિલે રાજ્યસભામાં મુદ્દો ઉપાડ્યો હતો. તેઓએ સરકાર સામે સાવજને બચાવવા અપીલ કરી છે. કોંગ્રેસના સાંસદ શક્તિસિંહ ગોહિલે ગુરુવારે રાજ્યસભામાં એશિયાઈ સિંહોના મોતનો મુદ્દો ઉપાડ્યો છે. તેઓએ માંગ કરી કે, સિંહોને રેડિયો કોલર લગાવવું ન જાેઈએ. કેમ કે, તેનાથી તેમનો વિકાસ અટકી જાય છે. અનેક વાર સિંહોના આ કારણે અસમયે મોત પણ થઈ જાય છે. શક્તિસિંહ ગોહિલે રાજ્યસભામા કહ્ય્šં કે, રેડિયો કોલરનું વજન ૨.૫ કિલો હોય છે. જેનો ઉપયોગ સિંહો માટે કરવો ન જાેઈએ. તેને બદલે અન્ય કોઈ વૈજ્ઞાનિક રીતનો ઉપયોગ કરવો જાેઈએ.
કેન્દ્રીય પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તન સમિતિના રિપોર્ટ અનુસાર, જાન્યુઆરીથી અત્યાર સુધી ગુજરાતમાં ૯૨ એશિયાઈ સિંહોના મોત થયા છે. તો બીજી તરફ, ૧૦ જૂનના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક ટ્વીટ કરીને ૨૦૧૫ થી ૨૦૨૦ દરમિયાન એશિયાઈ સિંહોની વસ્તીમાં ૨૯ ટકાનો ઐતિહાસિક વધારો થયો હોવાનું જણાવ્યું હતું. ગુજરાતનું પ્રખ્યાત ગીર નેશનલ પાર્ક રાજ્યના ૮ જિલ્લા જુનાગઢ, અમરેલી, ભાવનગર, પોરબંદર, રાજકોટ, ગીર સોમનાથ, બોટાદ અને જામનગર જિલ્લામાં ફેલાયેલો છે.
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments