અમદાવાદ-

રાજ્યમાં કોરોના વાઇરસનો કહેર સતત વધી રહ્યો છે. કોરોના વાઇરસની સૌથી વધુ અસર અમદાવાદમાં છે. અમદાવાદની સાબરમતી સેન્ટ્રલ જેલમાં કોરોનાનો વિસ્ફોટ થયો છે. સાબરમતી સેન્ટ્રલ જેલમાં 81 કેદીઓ કોરોના સંક્રમિત થયા છે. જેથી કેદીઓની પરિવાર સાથે રૂબરૂ મુલાકાત બંધ કરવામાં આવી છે. રાજ્યમાં હાલ કોરોનાની બીજી લહેર ચાલી રહી છે, જેથી સાબરમતી સેન્ટ્રલ જેલમાં સાવચેતીના ભાગરૂપે કેદીઓના કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જોકે આ ટેસ્ટિંગમાં જેલના 81 કેદીઓ સંક્રમિત માલૂ પડ્યા હતા. આ કેદીઓમાંથી પાંચ કેદીઓનું સ્વાસ્થ્ય વધુ કથળતાં તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, બાકીના 76 કેદીઓને આઇસોલેટ કરવામાં આવ્યા હતા.