નડિયાદ : કોરોનાની મહામારીમાં મહિસાગર જિલ્લાના નાગરિકોને કોરોના વાઇરસના સંક્રમણથી સુરક્ષિત રાખવા જિલ્લા કલેકટર આર.બી બારડ અને જિલ્લા વિકાસ અધિકારી નેહા કુમારીના માર્ગદર્શન હેઠળ સતત જિલ્લા આરોગ્ય વિભાગ કાર્યરત છે. જિલ્લા- તાલુકા અને ગ્રામ્ય સ્તર સુધીના આરોગ્યના કર્મીઓ સતત અવિરતપણે પોતાની ફરજાે અદા કરી રહ્યાં છે. છતાં ઘણાં નાગરિકો હજુ મહામારીને ગંભીરતાથી લઈ રહ્યાં નથી. આવાં લોકો સામે દંડનો દંડો ઉગામવામાં આવ્યો હતો. આજે વિશ્ષ ઝુંબેશ હેઠળ માસ્ક વગર ફરતાં લોકોને ઝડપી પાડીને દંડ વસૂલ કરવામાં આવ્યો હતો. સરકારની ગાઇડલાઇન તેમજ જિલ્લા વહીવટીતંત્ર તરફથી માસ્ક પહેર્યા વગર બહાર ન નીકળવા વારંવાર જણાવવામાં અને સમજાવવામાં આવતું હોવા છતાં પણ હજુ ઘણાં નાગરિકો ઘરની બહાર નીકળતં વખતે માસ્ક પહેરતાં નથી. આવા માસ્ક પહેર્યા વગર નીકળતાં લોકો સામે કાર્યવાહી હાથ ધરીને વિરપુર નગરમાં દંડાત્મ‍ક કાર્યવાહી કરી રૂા. ૫૧૦૦નો દંડ વસૂલ કરવામાં આવ્યો હતો. વહીવટીતંત્રએ આ સંયુક્ત કાર્યવાહી કરીને અન્ય નાગરિકો માસ્ક પહેર્યા વગર ન નીકળે અને નીકળશે તો દંડાત્મક કાર્યવાહીથી બચી નહીં શકો તેવો સંદેશો પણ પાઠવ્યો હતો.