વડોદરા, તા.૨૧

વૈષ્ણવાચાર્ય પૂ.વ્રજરાજકુમારજીના સાંનિધ્યમાં માંજલપુર વ્રજધામ આધ્યાત્મિક સંકુલ ખાતે ૭૫ બેડની સુવિધા સાથે કોવિડ સેન્ટરનું ઉદ્‌ઘાટન પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલ દ્વારા કરવામાં આવ્યું હતું, સાથે વ્રજધામ સંકુલ વલ્લભ ફાઉન્ડેશનના માધ્યમથી ૨૫૦ ઓક્સિજન મશીન પ્રદાન કરવાના અભિગમનુંુ પણ ઉદ્‌ઘાટન કરવામાં આવ્યું હતું.

વ્રજધામ આધ્યાત્મિક સંકુલ ખાતે વલ્લભ ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા વૈષ્ણવાચાર્ય વ્રજરાજકુમારજી મહોદયના માર્ગદર્શન હેઠળ સંકુલ ખાતેના અતિથિ ભવન ખાતે ૭૫ બેડની સાથે કોવિડ સેન્ટર કાર્યરત કરવામાં આવ્યું છે. પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલ દ્વારા મેયર, સાંસદ, પ્રદેશ ભાજપ મહામંત્રી, શહેર ભાજપ પ્રમુખ સહિત અગ્રણીઓની ઉપસ્થિતિમાં પ્રારંભ કરાયો હતો, સાથે ઓક્સિજનની જરૂરિયાતવાળા દર્દીઓ માટે ૨૫૦ ઓક્સિજન મશીન સમર્પિત કરવામાં આવનાર છે, જેના ભાગરૂપે ઓક્સિજન મશીન અર્પિત કરાયા હતા. ૭૫ બેડની સુવિધા સાથે શરૂ કરાયેલા કોવિડ કેર સેન્ટરમાં ૨૪મી એપ્રિલથી તબીબી નિરીક્ષણ હેઠળ દર્દીઓને પ્રવેશ અપાશે,