અમદાવાદ-
કોરોનાના કહેર વચ્ચે બાળકોમાં એમઆઇએસ-સી નામની બિમારીએ ચિંતા વધારી છે. ત્યારે આ મામલે સૌથી વધુ તકેદારી ગર્ભવતી મહિલાઓએ રાખવી જરૂરી છે. જો શક્ય હોય તો વેક્સિન લીધા બાદ જ પ્રેગ્નન્સી પ્લાન કરવી જોઇએ કે જેથી પ્રેગ્નન્સી સમયે કોઇ પણ પ્રકારની તકલીફ ન પડે. ગર્ભવતી મહિલાઓએ કોરોનાના લક્ષણો જણાતાં જ તુરંત સારવાર લેવી જોઇએ. આ સાથે જ ગર્ભવતી મહિલાઓ માટે કોઇ પણ પ્રકારનો ડર રાખવો કે માનસિક રીતે ભાંગી પડવું એ બાળક માટે નુકસાનકારક છે. બાળકને જન્મતાની સાથે જ એમઆઇએસ-સી તેમજ અન્ય રોગોથી બચાવવા માટે માતાએ જાતે જ સંભાળ લેવી જરૂરી છે. તમને જણાવી દઇએ કે, કોરોનાની મહામારી વચ્ચે બાળકો પણ MIS-C એટલે કે મલ્ટી સિસ્ટમ ઈન્ફ્લેમેટ્રી સિંડ્રોમ નામના રોગના ભોગ બની રહ્યા છે. અમદાવાદમાં માત્ર એક દિવસના બાળકને MIS-C થયો હોવાનો રાજ્યનો પ્રથમ કેસ સામે આવ્યો છે. જન્મના બાર કલાકમાં જ નવજાત શિશુને MIS-C નામનો રોગ થયો છે. આ બાળકને ખાનગી હોસ્પિટલમાં આઈસીયુમાં સારવાર હેઠળ છે. તેને ઓક્સિજન પર રાખવામાં આવ્યું છે.
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments