સુરત-

ગુજરાતમાં દિવાળી બાદ કોરોના વાયરસનું સંક્રમણ વધ્યું હતું. સતત દરરોજ કેસમાં રેકોર્ડબ્રેક કેસોનો વધારો નોંધાતો હતો. એમાં પણ ખાસકરીને ગુજરાતના ચાર મોટા શહેરો અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટમાં કોરોનાના કેસ સૌથી વધુ છે. ત્યારે છેલ્લા બે દિવસથી અમદાવાદ સહિત રાજ્યભરમાં કોરોના કેસમાં ઘટાડો જાેવા મળ્યો છે.

જેના પરિણામ સ્વરૂપે ડ્રાઇવ થ્રુ કોવિડ ટેસ્ટ માટેની લાઈનમાં પણ મોટો ઘટાડો થયો છે. એક સમયે ૫ થી ૭ હજાર લોકો ટેસ્ટ કરાવવા માટે આવતા હતા, જે હાલમાં દૈનિક ૫૦૦ થી ૭૦૦ લોકો ટેસ્ટ માટે આવી રહ્યા છે. તેમજ ધનવંતરી કોવિડ હોસ્પિટલની બહાર નહીવત ભીડ જાેવા મળી રહી છે. ગણતરીના લોકો જ હોસ્પિટલની બહાર જાેવા મળી રહ્યા છે. આજે આઇસીયુ વગરના ૨૫ બેડ ઉપલબ્ધ હોવાનું જાહેર કરવામાં આવ્યું છે. અત્યારે ૯૦૦ બેડની હોસ્પિટલની અંદર ૫૬૦ દર્દીઓ સારવાર લઇ રહ્યા છે.

તો આ તરફ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના માઈક્રો કન્ટેઈન્મેન્ટ વિસ્તારોની નવી યાદી બહાર પાડવામાં આવી છે. જેમાં અમદાવાદના ૧૪ વિસ્તારોને માઈક્રો કન્ટેનમેન્ટ ઝોનમાંથી મુક્તિ આપવામાં આવી છે. કોરોનાના કેસ ઘટવાની સાથે-સાથે માઈક્રો કન્ટેનમેન્ટ વિસ્તારોમાં પણ ઘટાડો જાેવા મળી રહ્યો છે. જાે સુરત શહેરની વાત કરવામાં આવે તો ગતરોજ માત્ર ૯ દર્દીઓના મોત થયા હતા. અને કોરોના સંક્રમિતોની સંખ્યા પણ ઘટાડો નોંધાયો છે. કોરોના સંક્રમિતોની સંખ્યામાં ઘટાડો થતાં તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે. સ્મશાનમાં પહેલાં ૧૨ કલાક જેટલું વેઇટિંગ હતું જે હવે માત્ર ૧ કલાકમાં નંબર આવી જાય છે.