બાલાસિનોર, તા.૧૬
મહિસાગર જિલ્લાના બાલાસિનોર મામલતદાર કચેરીના પટાંગણમાં ગુજરાત રાજ્ય નાગરિક પૂરવઠા નિગમના ચેરમેન રાજેશ પાઠકના હસ્તે ધ્વજ વંદન કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે હાલ ચાલી રહેલી કોરોના વાઇરસની મહામારીને ધ્યાને લઇ સોશિયલ ડિસ્ટન્સ જાળવી ૭૪મા સ્વતંત્ર પર્વની ઉજવણી કરવામાં આવી હતી. સમગ્ર દેશ કોરોનાની વૈશ્વિક મહામારીની ઝપટમાં છે, જેને ધ્યાને લઇ સમગ્ર દેશમાં ૭૪મા સ્વતંત્ર પર્વની સાદગીથી ઉજવણી કરવામાં આવી હતી. મહીસાગર જિલ્લાના બાલાસિનોર તાલુકાનો ધ્વજ વંદન કાર્યક્રમ મામલતદાર કચેરીના પટાંગણમાં યોજાયો હતો. આ કાર્યક્રમમાં ગુજરાત રાજ્ય નાગરિક પૂરવઠા નિગમના ચેરમેન રાજેશભાઈ પાઠકે ઉપસ્થિત રહી ધ્વજ વંદન કર્યુ હતું. આ પ્રસંગે નાયબ કલેક્ટર વિમલભાઈ ચૌધરી, મામલતદાર કચેરી સ્ટાફ, બાલાસિનોર પોલીસ સ્ટેશનના પીઆઇ, પીએસઆઇ, પોલીસ કર્મચારીઓ, આરોગ્ય અધિકારી અને કર્મચારીઓ સહિત નગરજનો ઉપસ્થિત રહ્યાં હતાં. આ કાર્યક્રમમાં કોરોના વોરિયર્સ તરીકે સેવા આપતાં ડો. હિતેશભાઈ પટેલ તથા અન્ય પોલીસ કર્મીઓ અને નગરપાલિકાના કર્મચારીઓનું સન્માન કરવામાં આવ્યું હતું.
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments