અમદાવાદ-

6 વર્ષ બાદ નવનિર્મિત વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ મોટેરા સ્ટેડિયમમાં ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ૨૪ ફેબ્રુઆરીએ પ્રથમ ટેસ્ટ મેચ યોજાવા જઇ રહી છે. આ મેચ ઓનલાઇન ટિકિટનું વેચાણ પણ શરૂ થઈ ચૂક્યું છે.ભારત-ઇંગ્લેન્ડ વચ્ચે મેચભારત-ઇંગ્લેન્ડ વચ્ચે મેચ. ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ચાર ટેસ્ટ મેચ રમાવાની હતી. જેમાંથી બે ટેસ્ટ મેચ અમદાવાદ ખાતે રમાવાની છે. જેને લઇન બુકિંગ શરૂ કરવામાં આવ્યું છે. આ માટે અમદાવાદીઓએ મોટા પ્રમાણમાં મોટેરા સ્ટેડિયમના ઇન્કવાયરી કાઉન્ટર પર પૂછપરછ કરી હતી.

જ્યાંથી તેમને માહિતી મળી હતી કે પ્રાઇવેટ વેબસાઇટ ઉપરથી તેઓ ટિકિટ બુક કરી શકશે. કારણ કે, કોવિડને લઈને ફિઝિકલ બુકીંગ બંધ છે.ભારત-ઇંગ્લેન્ડ વચ્ચે મેચભારત-ઇંગ્લેન્ડ વચ્ચે મેચ. પ્રાઇવેટ વેબસાઈટ પર બે ટેસ્ટમેચ અને ચાર  મેચ જે અમદાવાદમાં રમાનાર છે. તેનું બુકીંગ શરૂ થઈ ચૂક્યું છે. વેબસાઈટ પર 300 રૂપિયાથી લઈને 2500 રૂપિયા સુધીની ટિકિટ મળે છે. જેમાં મેદાનની ચારે તરફ ઉપરની બાજુના ભાવ 300-350, મેદાનની ચારે તરફ નીચેની બાજુએ 400-500, રિલાયન્સ પેવેલિયન 1000 રૂપિયા, જ્યારે અદાણી પેવેલિયન લોબીના 2500 રૂપિયા ભાવ છે.

આ ટેસ્ટ મેચ ગુલાબી દડાથી રમાશે અને ડે-નાઈટ ટેસ્ટ મેચ હશે. બપોરે અઢી વાગ્યાથી મેચ શરૂ થશે. જેને લઈને પ્રેક્ષકોએ તેના ત્રણ કલાક પહેલાં મેદાનમાં એન્ટ્રી મેળવવાની રહેશે. કોવિડને લઈને સ્ટેડિયમ ૫૦ ટકા કેપેસિટીથી ભરાશે, તેમજ કોવિડના પ્રોટોકોલ પાળવાના રહેશે.