દિલ્હી-

વિદેશ મંત્રી એસ જયશંકરે શનિવારે કહ્યું હતું કે ભારતે કોવિડ -19ને નાથવા માટે યોગ્ય વિક્લપની પંસગી કરી રહી છે અને હાલના સંજોગોમાં ભારત અન્ય દેશો કરતાં વધુ સારી સ્થિતિમાં છે. જયશંકર કોવિડ -19 ની રચાયેલી સમીતીમા શામેલ છે. તેમણે કહ્યું કે જ્યારે આ રોગ વૈશ્વિક રોગચાળાના રૂપમાં લેવા માંડ્યો, ત્યારે દરેક દેશને તેની ક્ષમતા પ્રમાણે બિમારીને નાથવા માટેના જરુરી પગલા ઉઠાવી રહી છે.

વીડિયો કોન્ફરન્સીંગ દ્વારા ભારત ગ્લોબલ વીક 2020 ને સંબોધન કરતાં તેમણે કહ્યું કે દક્ષિણ કોરિયા જેવા દેશોમાં વધુ સારી પરીક્ષણ ક્ષમતા છે અને જર્મની જેવા દેશોમાં આઇસીયુ સિસ્ટમ વધુ સારી છે. તેમણે કહ્યું, 'આપણા (ભારતના) કેસમાં, અમારી સંભવિત અને મર્યાદાઓને ઓળખતા, અમે સામાજિક અંતર પર આધાર રાખવાનો વિકલ્પ પસંદ કર્યો. તેથી અમે ઘણા સમય પહેલા લોકડાઉન લાગુ કર્યું છે. અમે ઘણા લાંબા સમય પહેલા યાત્રાઓ પર પ્રતિબંધ મૂક્યો હતો અને પરિણામે, ત્રણ મહિના પછી… હા, રોગચાળાના વધુ કેસો આજે પણ વસ્તીના પ્રમાણમાં ઓછા છે. ”

જયશંકરે કહ્યું કે તે રસપ્રદ વાત છે કે કોવિડ -19 ના મામલામાં ભારત વિશ્વમાં ત્રીજા ક્રમે છે પરંતુ રોગચાળાનાં મોતનાં મામલામાં આઠમું સ્થાન છે. તેમણે કહ્યું, "લોકો અહીં 61 ટકાના દરે સ્વસ્થ થઈ રહ્યા છે અને અગાઉ લીધેલા પગલાંને લીધે, સમય ફક્ત વાયરસના ફેલાવાને ધીમું બનાવ્યો નથી, પરંતુ અમને આરોગ્ય સંબંધિત તૈયારીઓ કરવાનો સમય મળ્યો છે. "

ભાવિ વ્યૂહરચના અંગે, જયશંકરે કહ્યું કે ભારત વિશ્વનો સૌથી વધુ રસી ઉત્પાદક દેશ છે અને એકવાર કોવિડ -19 રસી મળી જાય તો તેને વૈશ્વિક સ્તરે ઉપલબ્ધ કરવામાં દેશની મહત્વની ભૂમિકા રહેશે.