દિલ્હી-

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નાણા મંત્રાલય દ્વારા આયોજિત વેબિનારને સંબોધિત કર્યો. આ દરમિયાન પીએમ મોદીએ કહ્યું કે દેશના ફાઈનાન્શિયલ સેક્ટર અંગે સરકારનું વિઝન એકદમ સ્પષ્ટ છે. આ સાથે જ તેમણે કહ્યું કે દેશમાં કોઈ પણ ડિપોઝિટર હોય કે કોઈ પણ ઈન્વેસ્ટર બંને વિશ્વાસ અને પારદર્શકતાનો અનુભવ કરે, એ અમારી સર્વોચ્ચ પ્રાથમિકતા છે.

વેબિનારને સંબોધતા પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું, કે દેશની નાણાકીય વ્યવસ્થા જાે કોઈ એક વાત પર ટકેલી છે તો તે છે વિશ્વાસ. વિશ્વાસ પોતાની કમાણીની સુરક્ષાનો. વિશ્વાસ રોકાણનો, વિશ્વાસ દેશના વિકાસનો. તેમણે કહ્યું કે સામાન્ય પરિવારોની કમાણીની સુરક્ષા ગરીબ સુધી સરકારી લાભની પ્રભાવી અને લીકેજ ફ્રી ડિલિવરી, દેશના વિકાસ માટે ઈન્ફ્રાસ્ટ્રક્ચર સાથે જાેડાયેલા રોકાણને પ્રોત્સાહન, આ બધી આપણી પ્રાથમિકતા છે.

પીએમ નરેન્દ્ર મોદીએ વધુમાં કહ્યું, આર્ત્મનિભર ભારત માત્ર મોટા ઉદ્યોગો અથવા મોટા શહેરોથી નહીં બને. આર્ત્મનિભર ભારત નાના નાના શહેરો અને ગામોના લોકોના પરિશ્રમથી બનશે. આર્ત્મનિભર ભારત ખેડૂતોથી વધુ કૃષિ ઉત્પાદનને સારૂ બનાવવાના એકમોથી બનશે. તેમણે વધુમાં કહ્યું કે, સબકા સાથ, સબકા વિકાસ, સબકા વિશ્વાસ આ મંત્ર નાણાકીય ક્ષેત્ર પર સ્પષ્ટ જાેવા મળે છે. આજે ગરીબ હોય, કિસાન હોય, પશુપાલક હોય, માછીમાર હોય અથવા નાના નાના દુકાનદાર હોય સૌ કોઈ માટે ક્રેડિટ એક્સેસ થઈ શક્યું છે.

પ્રધાનમંત્રીએ કહ્યું કે, મુદ્રા યોજના અંતર્ગત ગત વર્ષોમાં લગભગ ૧૫ લાખ કરોડ રૂપિયાનું ઋણ નાના ઉદ્યોગકારો સુધી પહોંચ્યું છે. તેમાંથી લગભગ ૭૦ ટકા મહિલાઓ છે અને ૫૦ ટકાથી વધારે દલિત, વંચિત, આદિવાસી અને પછાત વર્ગના ઉદ્યોગસાહસિક છે. તેમણે વધુમાં કહ્યું, ૯૦ લાખ એમએસએમઇએ કોરોના કાળ દરમિયાન ૨.૪ ટ્રિલિયન રૂપિયાની ક્રેડિટ પ્રાપ્ત કરી છે. સરકારે ઉદ્યોગો માટે કૃષિ, કોલસા અને અવકાશ ક્ષેત્ર પણ અન્ય લોકો માટે ખોલ્યા છે.

નાણાકીય સેવા ક્ષેત્રોમાં બજેટ લાગુ અંગે વેબિનારમાં પીએમ મોદીએ કહ્યું, દેશના નાણાકીય ક્ષેત્ર માટે સરકારનું વિઝન એકદમ સ્પષ્ટ છે. દેશમાં કોઇપણ જમાકર્તા હોય અથવા કોઈપણ રોકાણકાર હોય, બંને વિશ્વાસ અને પારદર્શિતા અનુભવ કરે, તે આમારી સર્વોચ્ચ પ્રાથમિકતા છે. તેમણે વધુમાં કહ્યું કે, અમારો સતત આ પ્રયાસ છે કે, જ્યાં સંભવ હોય ત્યાં પ્રાઇવેટ ઉદ્યોગોને વધારેમાં વધારે પ્રોત્સાહિત કરવામાં આવે, પરંતુ આ સાથે સાથે બેકિંગ અને વીમામાં પબ્લિક સેક્ટરની પણ એક પ્રભાવી ભાગીદારી અત્યારે દેશની જરૂરીયાત છે.