રાજકોટ

કોરોના સામે બચવા માટે એકમાત્ર હથિયાર કોરોના વેક્સિનેશન જ છે. જેને લઈને મોટાભાગના લોકો હાલ કોરોનાની વેક્સિન લઈ રહ્યા છે. ત્યારે ભારતીય ક્રિકેટર રવીન્દ્ર જાડેજાએ પોતાની પત્ની સાથે રાજકોટ મહાનગરપાલિકાની વેસ્ટ ઝોન કચેરી ખાતે કોરોનાની વેક્સિન લીધી હતી. તેમજ લોકોને પણ આ વેક્સિન લેવા માટે અપીલ કરી હતી. ઉલ્લેખનીય છે કે રાજકોટમાં હાલ મોટા પ્રમાણમાં રસીકરણ થઈ રહ્યું છે ત્યારે ક્રિકેટર રવિન્દ્ર જાડેજા અને તેની પત્ની રિવાબાએ પણ આ રસી મુકાવી હતી.