ઇન્ડિયન ડોમેસ્ટિક ક્રિકેટના દિગ્ગજ લેફ્ટ આર્મ સ્પિનર રજિન્દર ગોયલનું રવિવારે ઉંમર સંબંધિત બીમારીના લીધે નિધન થયું. તેઓ 77 વર્ષના હતા. ગોયલે રણજી ટ્રોફીમાં સૌથી વધુ 637 વિકેટ લીધી હતી, જેમાં 53 વખત એક ઇનિંગ્સમાં 5 વિકેટ અને 17 વિકેટ મેચમાં 10 વિકેટનો સમાવેશ થાય છે. તેઓ હરિયાણા અને નોર્થ ઝોન માટે રમતા હતા. તેમણે 1958-59થી 1984-85 દરમિયાન ફર્સ્ટ ક્લાસ ક્રિકેટની 157 મેચમાં કુલ 750 વિકેટ લીધી હતી.
બોર્ડ ઓફ ક્રિકેટ ફોર કંટ્રોલ ઇન ઇન્ડિયા (BCCI)ના પૂર્વ પ્રેસિડેન્ટ રણબીર સિંહ મહેન્દ્રે કહ્યું કે, "આ ક્રિકેટની રમત અને વ્યક્તિગત રીતે મારા માટે પણ એક મોટું નુકસાન છે. તેઓ દેશના સૌથી શ્રેષ્ઠ નહિ, તો તેમાંથી એક સ્પિનર હતા. નિવૃત્તિ પછી પણ તેમણે બહુ મોટું યોગદાન આપ્યું હતું."
તેમને BCCI તરફથી 2017માં CK નાયડુ લાઈફટાઈમ એવોર્ડ પણ મળ્યો હતો. ક્યારેય ભારત માટે ન રમ્યા હોવા છતાં આ સિદ્ધિ મેળવનાર તે માત્ર ચોથા વ્યક્તિ છે. ગોયલ 44 વર્ષની વય સુધી ફર્સ્ટ કલાસ ક્રિકેટ રમ્યા હતા. તેમનો પુત્ર નીતિન પણ ફર્સ્ટ કલાસ ક્રિકેટર રહી ચુક્યો છે અને બાદમાં તેણે મેચ રેફરી તરીકે પણ ફરજ નિભાવી હતી.
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments