દિલ્હી-
કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ પ્રધાન નરેન્દ્રસિંહ તોમર અને આંધ્રપ્રદેશના મુખ્યપ્રધાન વાય.એસ. જગન મોહન રેડ્ડીએ વીડિયો કોન્ફ્રેંસિંગ દ્વારા લીલી ઝંડી બતાવી ટ્રેનને રવાના કરી હતી. આ સમારોહમાં રેલવે રાજ્યપ્રધાન સુરેશ અંગડી પણ હાજર રહ્યા હતા.
ટ્રેનમાં 322 ટન ફળો રાખવામાં આવ્યા છે. 14 પાર્સલ વાનવાળી આ ટ્રેન 40 કલાકમાં 2150 કિમીનું અંતર કાપશે. 14 પાર્સલ વાનમાંથી, નાગપુર માટે 04 વાન લોડ અને આદર્શ નગર માટે 10 વાન છે. સામાન્યરીતે ટ્રેનને અંતર કાપવામાં લગભગ ત્રણથી ચાર દિવસનો સમય લાગે છે. આવી સ્થિતિમાં ખેડૂતોના ફળ અને શાકભાજી મોટા પ્રમાણમાં બગડે છે.બાગાયત સાથે સંકળાયેલા લોકોને દક્ષિણ ભારતની પ્રથમ અને દેશની બીજી ખેડૂત રેલનો લાભ મળશે. આ ટ્રેનથી ખેડૂતોની ઉપજ ટૂંક સમયમાં બજારમાં પહોંચી જશે. વર્તમાન પરિવહન પ્રણાલીમાં, ટ્રકો દ્વારા પરિવહનના કારણે 25 ટકા ખેડૂતોનું વાર્ષિક આશરે 300 કરોડનું નુકસાન થાય છે. અઠવાડિયામાં એકવાર કિસાન રેલ સંચાલન કરવાની યોજના છે.
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments