રાજકોટ-

રાજકોટ મનપાની ચૂંટણી પહેલા રાજકોટ કોંગ્રેસને મજબૂત કરવાના પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે. ત્યારે રાજકોટના પૂર્વ ધારાસભ્ય અને પૂર્વ શહેર કોંગ્રેસ પ્રમુખ આવતીકાલે ફરીથી કોંગ્રેસમાં જાેડાશે. ઇન્દ્રનીલ રાજ્યગુરુ આવતીકાલે અમિત ચાવડા અને હાર્દિક પટેલની આગેવાની કોંગ્રેસમાં જાેડાશે. આવતીકાલે શુક્રવારે બપોરે 12 કલાકે અમદાવાદ ખાતે ઇન્દ્રનીલ રાજ્યગુરુ કોંગ્રેસમાં જાેડાશે. પૂર્વ ધારાસભ્ય ઈન્દ્રનીલ રાજ્યગુરુ ફરી કોંગ્રેસમાં જાેડાવાની છે તેવી ચર્ચાઓ આ વર્ષની શરૂઆતથી જ વહેતી થઈ હતી. ત્યારે આખરે આ ર્નિણય લેવાયો છે.

પૂર્વ કોંગ્રેસી નેતા ફરીથી કોંગ્રેસમાં જાેડાશે તો પક્ષને રાજકોટમાં મોટું પીઠબળ મળી શકે છે. વિદેશથી આવ્યા બાદ તેમને ટેકેદારોએ તેઓને રાજનીતિમાં ફરીથી સક્રિય થવા માંગ કરી હતી. કુંવરજી બાવળિયા સાથેનો તેમનો ખટરાગ વર્ષો જૂનો છે. જેના બાદ ઈન્દ્રનીલ રાજ્યગુરુએ કોંગ્રેસ સાથે છેડો ફાડ્યો હતો. પરંતુ કુંવરજી બાવળિયા ભાજપમાં જતા રહેતા ઈન્દ્રનીલ રાજ્યગુરુના કોંગ્રેસમાં આવવાની માંગ મજબૂત બની હતી.