વડોદરા
વડોદરામાં ઉદ્યોગોનું વિશાળ સામ્રાજ્ય સર્જીને બેંકોનું રૂપિયા ૮૧૦૦ કરોડ ઉપરાંતનું ફુલેકુ ફેરવીને વિદેશ ફરાર થઇ જઈને ત્યાં સામ્રાજ્ય સર્જનાર સાંડેસરા બંધુઓના ઉદ્યોગ ગૃહની પ્રમુખ કંપની સ્ટર્લિંગ બાયોટેક લિમિટેડને માટે નિમાયેલા લીકવીડેટર દ્વારા સમાધાન અથવા ગોઠવણની યોજનાઓ રજૂ કરવા માટે આમંત્રણ અપાયું છે.
જેને લઈને આ ઉદ્યોગગૃહના માંધાતાઓ માટે આજ ઉદ્યોગગૃહમાં પુનઃ પગપેસારો કરવાને માટેનો અને એને હાથ પર લેવાનો માર્ગ ખુલી જવા પામ્યો છે. આ સમાધાન અથવા ગોઠવણની યોજનાઓ રાજુ કરવાને માટે લીકવીડેટર દ્વારા આ કંપનીના કોઈપણ સભ્યો અથવા તેમાંના કોઈપણ વર્ગ, કંપનીના લેણદારો અથવા તેમાંના કોઈપણ વર્ગ દ્વારા ઓફરો મંગાવવામાં આવી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે દેશની ટોચની એજન્સીઓ વર્ષ ૨૦૧૫થી વિદેશમાં ફરાર થઇ ગયેલા સાંડેસરા બંધુઓ અને એમના પરિવારના સભ્યોને શોધવામાં ધરાર નિષ્ફળ નીવડી છે. ત્યારે તેઓએ તાજેતરમાં દિલ્હીની કોર્ટમાં વિડિઓ કોન્ફરન્સ થાકી હાજરી આપીને સૌ તપાસ એજન્સીઓને ચોંકાવી દઈને જાણેકે પડકાર ફેંક્યો હોય એવી સ્થિતિ નિર્માણ થવા પામી હતી. આ વિડિઓ કોન્ફરન્સમાં સૌથી વધુ આશ્ચર્યની વાત તો એ છે કે, જે એજન્સીઓ એમને વર્ષોથી શોધી રહી છે. એ એજન્સી પૈકી ઇડીના અધિકારીઓએ સાંડેસરા બંધુઓ સહિતના પરિવારના સભ્યોને ઓળખતા હોવાનો ઇન્કાર કર્યો હતો. હવે તેઓની કંપની સ્ટર્લિંગ બાયોટેકને માટે લીકવીડેટર દ્વારા સમાધાનની અથવા ગોઠવણની યોજનાઓને માટે આમંત્રણ અપાતા એને લઈને ઉદ્યોગ જગતમાં તરેહ તરેહની ચર્ચાઓ જાગી છે.જેમાં એવી પણ ચર્ચાઓએ જાેર પકડ્યું છે કે પાછલા દરવાજે સાંડેસરા બંધુઓ પુનઃ પોતાના ઉદ્યોગ ગૃહમાં પ્રવેશ કરી રહયા છે.
૨૩ માર્ચ ૧૯૮૫ના રોજ ઇન્કોર્પોરેટડ થયેલ સ્ટર્લિંગ બાયોટેક જીલેટીન અને ફર્મેન્ટેશન બેઝડ એક્ટિવ ફાર્માસ્યુટિકલ્સ ઇન્ગ્રેડિઅન્ટસ (એપીઆઇએસ)ના ઉત્પાદનમાં સક્રિય હતી. જિલેટીન બોવાઇનમાંથી ઉત્પન્ન થાય છે અને તેનો ઉપયોગ મુખ્યત્વે ફાર્માસ્યુટિકલ, ન્યુટ્રાસ્યુટીકલ્સ અને ખાદ્ય કાર્યક્રમોમાં થાય છે.
જેને લઈને એમાં રસ ધરાવનારાઓને સોમવાર ૧૨ એપ્રિલ સુધીમાં પોતાની યોજનાની ઓફર રજુ કરવાને માટે જણાવવામાં આવ્યું છે. આમ સ્ટર્લિંગ બાયોટેકના કેસમાં લીકવીડેટરની પ્રક્રિયાને લઈને એની ગરમાગરમ ચર્ચા ઉદ્યોગ જગતમાં થવા પામી છે.
Comments