મુંબઈ
કોરોનાના કારણે ઇન્ડિયન પ્રીમિયર લિગની ૧૪મી સીઝન પર બ્રેક લાગ્યો છે. દુનિયાની સૌથી જાણીતી ટી-૨૦ લીગની ૧૪ મી સીઝનની ૩૧ મેચ રમાવાની બાકી છે. આ મેચ ક્યારથી શરૂ થશે, બીસીસીઆઇએ તેના પર હજુ સુધી પરદો હટાવ્યો નથી. મીડિયા રિપોર્ટ અનુસાર ૨૯ મેના બીસીસીઆઇની યોજાનારી મહત્વની બેઠકમાં આઇપીએલ ૧૪ ને ફરી શરૂ કરવાની તારીખની જાહેરાત કરી શકે છે. આ વચ્ચે બેઠકથી થોડા દિવસ પહેલા બીસીસીઆઇને એક અધિકારીએ મહત્વની જાણકારી આપી છે. અધિકારીએ જણાવ્યું કે આઇપીએલની ૧૪ મી સીઝન ૧૯-૨૦ સપ્ટેમ્બરથી શરૂ થઈ શકે છે. સીઝનની બાકી ૩૧ મેચનું આયોજન યુએઈ માં થવાની સંભાવના છે. જુદા જુદા દેશોના ક્રિકેટ બોર્ડ અને આઇપીએલની ફ્રેન્ચાઈઝી વચ્ચે વાતચીત ચાલી રહી છે. અધિકારીના અનુસાર ટૂર્નામેન્ટની ફાઈનલ ૧૦ ઓક્ટોબરના રમાઈ શકે છે.
ભારતીય ખેલાડી ઇંગ્લેન્ડથી ૧૫ સપ્ટેમ્બરના યુએઈ પહોંચશે. તેઓ ત્યાં ત્રણ દિવસ ક્વોરન્ટાઈન રહેશે. ત્યારે અન્ય દેશોના ખેલાડી કેરેબિયન પ્રીમિયર લીગથી સીધા આઇપીએલ ની ટીમો સાથે જોડાશે. તમને જણાવી દઇએ કે, સીપીએલ ૨૮ ઓગસ્ટથી ૧૯ સપ્ટેમ્બર સુધી રમાશે. કહેવામાં આવી રહ્યું છે કે, સીપીએલ ને નક્કી સમયથી પહેલા સમાપ્ત કરવાની વાતચીત ચાલી રહી છે.
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments