ગાંધીનગર,કઝાકીસ્તાન રાષ્ટ્રના ભારત સ્થિત રાજદૂત શ્રિયુત નુર્લાન ઝાલ્ગાસ્બાયેવએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સૌજન્ય મુલાકાત ગાંધીનગરમાં લીધી હતી. કઝાકિસ્તાન રાજદૂતે તેમની ગુજરાતની આ પ્રથમ મુલાકાત અંગે પ્રસન્નતા વ્યકત કરતાં મુખ્યમંત્રીને જણાવ્યું કે, બારત દેશના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની આ ભૂમિના દર્શન કરવાનું તેમનું સપનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની મુલાકાત સાથે સાકાર થયું છે.

 વધુમાં તેમણે જણાવ્યું હતું કે, ગુજરાતે ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ અને વ્યાપાર વણજની ઉત્કૃષ્ઠતાથી દેશમાં અગ્રીમ સ્થાન મેળવ્યું છે તે માટે અભિનંદન આપતા જણાવ્યું કે, કઝાકીસ્તાન, ભારત અને ગુજરાત સાથે દ્વિપક્ષીય સંબંધોનો સેતુ વધુ સુદ્રઢ કરવા ઉત્સુક છે.કઝાકિસ્તાનના રાજદૂતે ૨૦૧૯માં અમદાવાદમાં યોજાયેલા ઇન્વેસ્ટમેન્ટ ફોરમનો ઉલ્લેખ પણ કર્યો હતો. તેમણે એ સંદર્ભમાં ઉમેર્યું કે, આ ફોરમમાં કઝાકીસ્તાનની કંપનીઓ પણ જાેડાઈ હતી.આઇ.ટી; સ્ટાર્ટ અપ તેમજ મેટલ પ્રોડક્શન માટે પ્રાથમિક તબક્કે એગ્રીમેન્ટ પણ કરવામાં આવ્યા હતા.કઝાકિસ્તાન રાજદૂતે આ મુલાકાત દરમિયાન ખાસ કરીને આઇ.ટી, ટેક્સટાઈલ અને ફાર્માસ્યુટિકલ ક્ષેત્રમાં ભારત અને ગુજરાત સાથે સ્ટ્રેટીજીક પાર્ટનરશીપ ટાઇ-અપની પોતાના દેશ તરફથી ઉત્સુકતા દર્શાવી હતી.ગુજરાતના આ ત્રણેય ક્ષેત્રોના વિશાળ અનુભવનો લાભ લેવા માટે કઝાકીસ્તાન ઘણું આતુર છે એમ પણ તેમણે ઉમેર્યું હતું.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કઝાકીસ્તાન રાજદૂતને આવકારતા જણાવ્યું હતું કે, ભારત સહિત ગુજરાત કઝાકસ્તાન સંબંધોના સેતુને વધુ નવી ઊંચાઈ આપવા રાજ્ય સરકાર સંપૂર્ણ સહકાર આપશે.મુખ્યમંત્રીએ કઝાકીસ્તાન રાજદૂતને સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત અવશ્ય લેવાનું પ્રેરક સૂચન કરતા એમ પણ કહ્યું કે, ઇન્કલુઝિવ ગ્રોથ, ‘સૌના સાથ, સૌના વિકાસના મંત્ર અને આર્ત્મનિભર ભારતના ધ્યેય સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આગવા વિઝન એવા નર્મદા જિલ્લાના કેવડિયા સ્થિત સ્ટેચ્યુ ઓફ યુનિટી નિહાળી તેમને સુપેરે પરિચય થશે.

 મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કઝાકિસ્તાનના રાજદૂત સાથે વાર્તાલાપ દરમિયાન જણાવ્યું પ્રધાનમંત્રીની વિકાસ પ્રતિબદ્ધતાને પરિણામે આજે ભારત વિશ્વમાં આર્થિક ક્ષેત્રે ઉચ્ચ સ્થાન પામ્યું છે તેની પણ ભૂમિકા કઝાકિસ્તાન રાજદૂતને આપી હતી. મુખ્યમંત્રીએ તેમને સ્ટેચ્યુ ઓફ યુનિટીની પ્રતિકૃતિ સ્મૃતિ ભેટ અર્પણ કરી હતી.