જમ્મુ કશ્મિર-

LoC પર ચીન સાથેનો તણાવ ઓછો નથી થયો ત્યાં LOC પર પાકિસ્તાની સેના દ્વારા નાપાક હરકત કરવામાં આવી છે. રાજૌરી સેક્ટરમાં પાકિસ્તાન તરફથી સીઝફાયરનું ઉલ્લંઘન કરવામાં આવ્યું હતું. જેમાં સેનાના એક જુનિયર ઓફિસર શહીદ થયા છે.

મળેલી માહિતી મુજબ પાકિસ્તાની આર્મીએ બુધવારે રાજૌરી જિલ્લાના તારકુંડી સેક્ટરમાં સીઝફાયરનું ઉલ્લંઘન કર્યું હતું. આ દરમિયાન મોર્ટાર છોડવામાં આવ્યા હતા અને નાના હથિયારોથી ફાયરિંગ પણ કરવામાં આવ્યું હતું. આ સીઝફાયરના ઉલ્લંઘનમાં ભારતીય સેનાના જેસીઓ શહીદ થઈ ગયા છે. શહીદ જેસીઓની તહેનાતી એલઓસીની ફોરવર્ડ પોસ્ટ પર કરવામાં આવી હતી. સવારે થયેલી આ ગોળીબારીમાં તે ઈજાગ્રસ્ત થયા હતા. જેઓની સારવાર ચાલી રહી હતી. પણ આ દરમિયાન જ તેઓનું મોત થયું. બાંદીપોરાના ગુરેઝમાં સીઝફાયરના ઉલ્લંઘનને કારણે બાગતૂર ગુરેઝ ગામમાં એક ઘર નષ્ટ થઈ ગયું છે. જ્યારે 3 ઘરોને નુકસાન પહોંચ્યું છે.