અમદાવાદ, ગુજરાત કોંગ્રેસના સુકાનીઓ નક્કી કરવા માટે દિલ્હીમાં બેઠકનો ધમધમાટનો અંત આવ્યો છે. ગુજરાત કોંગ્રેસને લઈને એક મહત્ત્વપૂર્ણ ર્નિણય લેવામાં આવ્યો છે. કોંગ્રેસ હાઇકમાન્ડ ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ અને વિપક્ષના નેતાના નામની જાહેરાત કરી છે. પ્રદેશ અધ્યક્ષ પદે જગદીશ ઠાકોરના નામ પર મહોર મારવામાં આવી છે. જ્યારે વિપક્ષ નેતાપદે સુખરામ રાઠવાની પસંદગી કરાઈ છે. બીજી બાજુ નામ નક્કી થાય એ પૂર્વે જગદીશ ઠાકોર દિલ્હી પહોંચ્યા હોવાની માહિતી મળી રહી છે.ગુજરાત કોંગ્રેસમાં પ્રમુખપદ અને વિરોધપક્ષના નેતા માટે લાંબા સમયથી અંદરોઅંદર નેતાઓ વચ્ચે ખેંચતાણ ચાલી રહી હતી. જેમાં ભરતસિંહ સોલંકી અને હાર્દિકપટેલ સહિતના નેતાઓ પ્રમુખ બનવા માટે લોબિંગ કરી રહ્યા હતા. ગુજરાત કોંગ્રેસના નવા પ્રમુખના મામલે પ્રભારી રઘુ શર્માથી માંડીને રાહુલ ગાંધી સુધી બેઠકો ચાલી હતી.પરંતુ અંતે જૂથવાદને બાજુએ મુકી કોંગ્રેસે જગદીશ ઠાકોરને પ્રમુખ બનાવીને વિધાનસભાની આગામી ચૂંટણીઓ માટેના નવા જ સમીકરણો ઉભા કર્યા છે.રાહુલ ગાંધીના નિવાસસ્થાને કોંગ્રેસના નેતાઓની વન ટુ વન બેઠકમાં મોટાભાગના નેતાઓએ હાર્દિકપટેલને પ્રદેશ પ્રમુખ બનાવવામાં આવશે તો ફરી એકવાર ગુજરાત કોંગ્રેસમાં મોટું ભંગાણ થવાની ચીમકી ઉચ્ચારી હતી. કોંગ્રેસના ૨૦ ધારાસભ્યોપણ કોંગ્રેસ છોડવાની ચીમકી ઉચ્ચારી હતી. જેના કારણે કોંગ્રેસ હાઈકમાન્ડ અવઢવમાંપડી ગયા હતા.પરંતુ આખરે તેનો અંત આવી ગયો છે.આખરે છેલ્લાં કેટલાક સમયમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસને નવા પ્રમુખ મળવા જઈ રહ્યા છે. ગુજરાત કોંગ્રેસમાં લાંબા સમયથી ગૂંચવાયેલું કોકડું આખરે ઉકેલાઈ ગયું છે. કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ તરીકે જગદીશ ઠાકોરની જાહેરાત કરાઈ છે.તેઓ ગુજરાત પ્રદેશ અધ્યક્ષ પદે નિમણૂંક થઈ છે. જ્યારે વિધાનસભામાં વિપક્ષ નેતા તરીકે સુખરામ રાઠવાની વરણી કરવામાં આવી છે. સત્તાવાર જાહેરાત કરી નાંખવામાં આવી છે. ગુજરાતમાં કોંગ્રેસમાં આતંરિક વિખવાદના લીધે લાંબા સમયથી રાજયમાં સત્તાથી વંચિત છે, કોંગ્રેસમાં આજેપણ જૂથબંધી માથાનો દુખાવો બન્યો છે,પરતું કોંગ્રેસ હાઇકમાન્ડે હવે કોંગ્રેસમાં આમૂલપરિવર્તન સાથે ફેરફાર કરવાનો નિર્ધાર કર્યો છે. ઘણા સમયથી ગુજરાતમાં કોંગ્રસ પ્રદેશ અધ્યક્ષની નિમણૂક માટે હાઇકમાન્ડ બેઠકો કરી રહ્યા હતા.