દિલ્હી-

જમ્મુ-કાશ્મીરના શ્રીનગરની સીમમાં સોમવારે થયેલા આતંકી હુમલામાં સીઆરપીએફના બે જવાન શહીદ થયા હતા અને ત્રણ અન્ય ઘાયલ થયા હતા. પોલીસે જણાવ્યું હતું કે, આતંકીઓએ સલામતી દળો પર ગોળીબાર કર્યો હતો જ્યારે તેઓ હાઇવે પર પોતાની ફરજ બજાવી રહ્યા હતા.પોલીસના જણાવ્યા મુજબ, આતંકીઓ નજીકના વિસ્તારથી અહીં પહોંચ્યા હોવાનું જણાયું હતું. આતંકવાદીઓને શોધવા માટે ઝુંબેશ શરૂ કરવામાં આવી છે અને નાકાબંધી કરવામાં આવી છે .