જામનગર-
જિલ્લામાં શિયાળુ પાકનું 53, 625 હેક્ટરમાં વાવેતર કરી દેવામાં આવ્યું છે. જામનગર જિલ્લામાં કુલ વાવેતરના વિસ્તારમાંથી રવિ પાક માટે ચાલુ વર્ષમાં 53,625 હેક્ટરમાં વાવેતર કરવામાં આવ્યું છે. ધ્રોલ તાલુકાની વાત કરીએ તો તાલુકાની જમીનમાં 888 હેક્ટરમાં વાવેતર થયું છે. જામજોધપુર તાલુકામાં રવિ પાકનું 4528 હેક્ટરમાં વાવેતર કરવામાં આવ્યું છે. જામનગર તાલુકામાં 741 હેક્ટર જમીનમાં શિયાળુ પાકનું વાવેતર ખેડૂતોએ કરેલું છે.
જોડિયા તાલુકામાં આ વર્ષે રવિ પાકનું વાવેતર 3 વર્ષની એવરેજની સરખામણીમાં વધારો થયો છે. એટલે કે, જોડિયા તાલુકામાં 5,256 હેકટર જમીનમાં વાવેતર શિયાળુ પાકનું કરેલું છે. કાલાવડ તાલુકામાં રવિ પાકના વાવેતરમાં વધારો થયો છે. 2020-21ના વર્ષમાં રવિ પાકનું વાવેતર કાલાવડ તાલુકામાં 39, 046 હેક્ટર જમીનમાં વાવેતર કરવામાં આવ્યું છે. લાલપુર તાલુકાની વાત કરીએ તો લાલપુર તાલુકામાં રવિ પાકની સીઝન માટે ખેડૂતોએ 3,166 હેકટર જમીનમાં વાવેતર કર્યુ છે.
જામનગર જિલ્લામાં કુલ 3,01,033 હેક્ટર જમીનનો વાવેતરનો વિસ્તાર છે. જેમાંથી છેલ્લા ત્રણ વર્ષમાં એવરેજ 76,233 હેક્ટર જમીનમાં રવિ પાકનું વાવેતર ખેતીવાડી વિભાગમાં નોધાયું છે. જામનગર જીલ્લામાં ઘઉંનું વાવેતર 16,284 હેક્ટર જમીનમાં થયેલ છે. ચણાનું વાવેતર 9489 હેક્ટર જમીનમાં વાવેતર કરેલું છે. તેમાં બિન પિયત ચણાનું 4304 હેક્ટર જમીનમાં વાવેતર થયું છે. રાઈનું વાવેતર 110 હેક્ટરમાં વાવેતર કરેલું છે. જીરાનું વાવેતર 1945 હેક્ટર જમીનમાં કરેલું છે. ડુંગળીનું વાવેતર 524 હેક્ટરમાં, લસણનું વાવેતર 475 હેક્ટર જમીનમાં ,ધાણાનું વાવેતર 1768 હેક્ટર જમીનમાં ,શાકભાજીનું વાવેતર 1158 હેક્ટર જમીનમાં, સુવાનું વાવેતર માત્ર 20 હેક્ટર જમીનમાં થયું છે. જ્યારે ઘાસચારો 1852 હેક્ટર જમીનમાં વાવેલો છે.
Comments