જામનગર-

ભારતીય વાયુસેનાને 4 નવેમ્બરના રોજ વધુ 3 રાફેલ લડાકુ વિમાન મળી ગયા છે. ત્રણેય રાફેલ વિમાન ફ્રાન્સથી ટેકઓફ થયા પછી સીધા ભારત આવી પહોંચ્યા છે. મળતી માહિતી મુજબ ફ્રાન્સના એરબેસથી ગુજરાતના જામનગર સુધીની લાંબી સફર દરમિયાન ફ્રાંસીસી વાયુસેનાનું હવામાં ઈંધણ ભરતું વિમાન પણ સાથે રાખવામાં આવ્યું હતું. ફ્રાન્સની કંપની દાસૌ એવિએશનથી 5 રાફેલ વિમાન પ્રથમ ર૯ જુલાઈના ભારત પહોંચ્યા હતા. ભારતે ફ્રાન્સ પાસેથી રૂપિયા 59,000 કરોડમાં 36 રાફેલ વિમાન ખરીદવાનો કરાર કર્યો છે. રાફેલ માટે અલગ અલગ બેંચમાં ભારતીય વાયુસેનાના પાયલટોને ફ્રાન્સમાં પ્રશિક્ષિત કરવામાં આવ્યા હતા. રક્ષાપ્રધાન રાજનાથસિંહે રાફેલ વિમાનોને ગેમ ચેન્જર બતાવ્યા હતા. તેઓનું કહેવું હતું કે, રાફેલની સાથે વાયસેનાએ ટેકનોલોજી સ્તરે પ્રગતિ હાંસલ કરી છે. આ નવિનત્તમ હથિયાર અને સુપીરિયર ઐસર થીલેંસ લડાકુ વિમાન છે. તેમાંથી અડધા વિમાન અંબાલા એરબેસ અને અડધા પશ્ચિમ બંગાળના હાઉરામારા એરબેસ પર રાખવામાં આવ્યા છે. આ વિમાન 1800 કિ.મી. પ્રતિકલાકની ઝડપે પહોંચવાની તાકાત ધરાવે છે. રાફેલના નિશાનાથી દુશ્મનો બચી શકતા નથી. પોટોડ વિમાન રાફેલનું વજન 10 ટન છે. જે મિશાલની સાથે ઊડાન ભરે તો 25 ટન સુધી થઈ જાય છે. રાફેલ વિમાન હિમાચલ પર ખૂબ ઠંડા વાતાવરણમાં પણ ઊડાન ભરવાથી સક્ષમ છે.