જુનાગઢ-

રાજ્યના નાધેર પંથકમાં આવેલા માંગરોળ બંદરે નવી જેટી પંજાબ વિસ્તાર તરીકે ઓળખાતા બંદર પર લાંગરેલી બે બોટમાં આગ લાગી હતી. જોત જોતામાં આ આગની ઝપટમાં આજુબાજુમાં રહેલી બોટ પણ આવી ગઈ હતી અને તેના કારણે આગના ફિલ્મી દૃશ્યો સર્જાયા હતા. આ આગને લઈ બાજુમાં રહેલી ત્રણ બોટમાં આગ લાગતા પાંચ બોટો આગના તાંડવની ઝપટમાં આવી ગઈ હતી.આગ લાગવાનું ચોકકસ કારણ જાણવા નથી મળ્યું પરન્તુ કોલ્ડ રૂમમા આવેલા થર્મોકોલના કારણે લાગી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.મોડી રાત સુધી એકધારો પાણીનો મારો ચલાવતા આગ કાબૂમાં આવી હતી. જેમાં ખારવા સમાજના અગ્રણી વેલજીભાઈ મસાણી, પાલીકા પ્રમુખ મો.હુસેન ઝાલા સહિતના આગેવાનો અને ડીવાયએસપી પુરોહિત, પીઆઇ રાઠોડ સહિત પોલીસ કાફ્લો ઘટના સ્થળે પહોંચ્યો હતો. આગ લાગવાનું ચોકકસ કારણ હાલ જાણવા મળ્યું નથી. પરંતુ કોલ્ડ રૂમમા આવેલા થર્મોકોલના કારણે આગ લાગી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.