ગાંધીનગર,ગુજરાત કોંગ્રેસના વધુ એક નેતા કૈલાશ ગઢવી આવતીકાલે કોંગ્રેસનો હાથ છોડીને આમ આદમી પાર્ટીનું ઝાડુ પકડશે. આ નેતા તેમની સાથે ૧૦ થી ૧૨ જેટલા અન્ય આગેવાનોને લઈને આમ આદમી પાર્ટીમાં જાેડાશે. ગુજરાત કોંગ્રેસનાં પૂર્વ પ્રવકતા અને ઓલ ઈન્ડિયા પ્રોફેશનલ્સ કોંગ્રેસ-ગુજરાતના પૂર્વ અધ્યક્ષ કૈલાશ ગઢવી છેલ્લા કેટલાક સમયથી પક્ષથી નારાજ હતા. તેમણે તાજેતરમાં પક્ષની નેતાગીરીની સામે આરોપ લગાવ્યા હતા. જેમાં ગઢવીએ એવો આરોપ લગાવ્યો હતો કે, પક્ષના મોવડીઓ રાજ્યસભાના નેતાઓની વાતો સાંભળે છે, પરંતુ પક્ષના જે જન પ્રતિનિધિઓ છે, જનતાની સાથે જેમનો સીધો સંપર્ક છે તેવા આગેવાનો અને નેતાઓને સાંભળવામાં આવતા નથી. કૈલાશ ગઢવીએ આ ટ્‌વીટ કરતાં તેઓ ટૂંક સમયમાં કોંગ્રેસ પક્ષને છોડીને અન્ય પક્ષમાં જાેડાશે તેવા સંકેતો મળી ગયા હતા.