ચિત્રદુર્ગ-

કર્ણાટકના હિરિયૂર તાલુકાના હલ્લી ગેટ નજીક એક બસમાં અચાનક આગ લાગી હતી. જેની ચપેટમાં આવવાથી એક માતા અને બાળકો સહિત પાંચ લોકોના મોત થયા હતા. મળતી માહિતી મુજબ આ ખાનગી બસ વિજયાપુરથી બેંગ્લુરૂ જઇ રહી હતી, તે સમયે આ ભયાનક ઘટના બની હતી. જેમાં પાંચ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો.કર્ણાટકમાં ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો હતો. જેમાં ખાનગી બસમાં એકા-એક આગ લાગવાથી બસમાં સવાર 5 લોકોના ઘટનાસ્થળે મોત થયા હતાં.