આણંદ : વૈજ્ઞાનિક ક્ષેત્રે અગ્રીમ સ્થાન ધરાવતાં નાસા દ્વારા આગામી સમયમાં ચંદ્ર પર માનવ વસાહત અંગેનું સંશોધન હાથ ધરવામાં આવનાર છે. આ સંશોધન અંતર્ગત નાસા દ્વારા ચંદ્ર પર રોવર મોકલીને માનવ રહેણાંક સહિતની બાબતો અંગે પણ આયોજન હાથ ધરવામાં આવ્યું છે.  

આ મિશનના ભાગરૂપે નાસા દ્વારા સૂચનો અને ડિઝાઇન મેળવવા માટે વિશ્વ સ્તસરે નાસાની લ્યુનર રોવર પેયલોડ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પાર્ધામાં વિશ્વના ૨૯ દેશોમાંથી ૧૩૨ સ્પર્ધકોએ ડિઝાઇન તૈયાર કરીને સૂચનો મોકલ્યાં હતાં, જેમાંથી આણંદના ખંભાત ખાતે ભૈરવનાથ મંદિર અને ભવનાથ મંદિરના પૂજારી બચુભાઇ શાસ્ત્રીના પૌત્ર અને દીપકભાઇના યુવાન પુત્ર ભારદ્વાજે આ સ્પર્ધામાં ભાગ લીધો હતો.

ખંભાતમાં રહેતાં ભારદ્વાજ શાસ્ત્રીએ બારડોલી ખાતેની કોલેજમાંથી મિકેનિકલ એન્જિનિયરિંગની ડિગ્રી મેળવી છે. ભારદ્વાજને સ્પેસ અને યુનિવર્સમાં રૂચિ હોવાથી તેણે પોતાની કારકિર્દીને ઊંચાઇ પર લઇ જવા માટે જર્મનીમાંથી હાયર એજ્યુકેશન લેવાનું નક્કી કરી જર્મનીમાં બે વર્ષ માસ્ટર ઇન સ્પેેસ ટેકનોલોજીનો અભ્યાકસ કરવા જર્મની ગયો હતો. જર્મનીમાં માસ્ટર ઇન સ્પેસ ટેકનોલોજીના અભ્યાસ દરમિયાન એક વર્ષ સ્વીડનમાં રહીને સ્પેસને લગતી બધી જ સ્પ‍ર્ધાઓમાં ભાગ લીધો હતો અને તેમાં સફળતા પણ મેળવી હતી.

 આ સ્પેસ પ્રત્યેના લગાવના કારણે ચાલુ વર્ષે વિશ્વમાં વૈજ્ઞાનિક ક્ષેત્રે અગ્રીમ સ્થાન ધરાવતી નાસાએ લ્યુ્‌નાર કોમ્પિટિશનનું આયોજન કર્યું હતું. આ સ્પર્ધામાં ભારદ્વાજે પોતાની લ્યુનાર સરફેસ એનર્જિટિક ન્યુટ્રાલ્સી એનેલાયઝર નામની લ્યુનાર સરફેસ પર મોકલાય તે માટેની ડિઝાઇન તૈયાર કરી હતી.

ભારદ્વાજ વેકેશનમાં પોતાના વતન ખંભાતમાં આવ્યો હતો, પરંતુ ખંભાત આવ્યા બાદ કોરોના મહામારીને કારણે તેણે વતન ખંભાતમાં જ રોકાઇ જવું પડયું હતું, જેનાં કારણે ભારદ્વાજે ખંભાતમાં ઘરે બેઠાં જ આખી ડિઝાઇન તૈયાર કરી હતી. પોતે તૈયાર કરેલી આ ડિઝાઇન અંગેની વાત કરતાં ભારદ્વાજ જણાવે છે કે, નાસા દ્વારા ૨૦૨૪માં ચંદ્ર પર રોવર મોકલવામાં આવનાર છે. જે કદમાં ખૂબ જ મોટું હોવા સાથે તેમાં વિવિધ પ્રકારના ઇન્સ્ટ્રૂમેન્ટસ્‌ ગોઠવવામાં આવનાર છે. જે પૈકીનો એક માનવ રહેણાંક માટેની ડિઝાઇન બનાવવા નાસાએ વિશ્વ સ્તતરે લ્યુનાર રોવર પ્લેલોડ સ્પાર્ધા યોજી હતી. આ સ્પર્ધામાં મેં ભાગ લઇને ખંભાતમાં ઘરે બેઠાં જ સતત ચાર માસ સુધી ડિઝાઇન સહિતના સોફટવેર દ્વારા ડોકયુમેન્ટરી અને રહેણાંકની ડિઝાઇન તૈયાર કરી હતી, જેનું નામ લ્યુનાર સરફેસ એનર્જેટિક ન્યુઝટ્રીસ એનાઇઝર છે.

ભારદ્વાજે પોતે તૈયાર કરેલી માનવ વસાહતની ડિઝાઇનને ચંદ્ર પર મોકલવાના અભિયાનમાં જાેડવામાં આવશે તેવો વિશ્વાસ વ્યકત કરતાં કહ્યું હતું કે, આ સાધનનું નામ એલઇએ છે, જેના ઉપયોગથી ચંદ્ર પર માનવ વસાહત માટે કયું સ્થોળ યોગ્ય રહેશે તે શોધવામાં મદદરૂપ બનશે. વૈજ્ઞાનિક ક્ષેત્રે અગ્રીમ સ્થાન ધરાવતી નાસા આયોજિત આ સ્પર્ધામાં વિશ્વના ૨૯ દેશોમાંથી ભાગ લેનાર ૧૩૨ હરિફોમાંથી ભારદ્વાજ તૈયાર કરેલ ડિઝાઇનને સમગ્ર વિશ્વમાં બીજું સ્થારન મળ્યું છે. નાસા દ્વારા ભારદ્વાજ શાસ્ત્રીને પ્રમાણપત્ર આપવામાં આવ્યું છે.

ખંભાતના યુવાન ભારદ્વાજ દીપકભાઇ શાસ્ત્રીએ પોતાના પરિવારનું જ નહીં પણ સમગ્ર વિશ્વમાં રાષ્‍ટ્ર, રાજ્ય અને જિલ્લા તેમજ ખંભાત શહેરનું નામ ગૂંજતું કર્યું છે.