ખેડબ્રહ્મા : ખેડબ્રહ્મા શહેર- તાલુકા ભારતીય જનતા પાર્ટી દ્વારા મંગળવારના રોજ ભારતીય જનતા પાર્ટીના ભીષ્મ પિતામહ અને જનસંઘ વખતથી પાર્ટીના કાર્યકર્તાથી મુખ્યમંત્રીની સફર સુધી પહોંચનાર પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલનું દુઃખદ અવસાન થતાં તેઓના શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ રાજ્યસભાના સાંસદ રમીલાબેન બારાના ખેડબ્રહ્મા ખાતેના કાર્યાલય ઉપર યોજવામાં આવ્યો હતો. જેમાં ભારતીય જનતા પાર્ટીના તાલુકા મહામંત્રી હીતેન્દ્રસિંહ ચૌહાણ, શંકરભાઈ બેગડીયા, અમૃતભાઈ પટેલ, ગલોડિયાના સરપંચ વિનોદભાઈ પટેલ, ગાડુના સરપંચ તેમજ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ અરવિંદ ઠક્કર, સદસ્ય નિકુંજભાઇ રાવલ, રણછોડ વસાવા, શહેરના મહામંત્રી પ્રશાંતભાઇ પટેલ તેમજ અનેક કાર્યકર્તાઓએ ઉપસ્થિત રહી બે મિનીટનું મૌન પાળવામાં આવ્યું હતું. સદગત કેશુભાઇ પટેલના ફોટા ઉપર પુષ્પાંજલિ આપી હતી. ઉપસ્થિત રાજ્યસભાના સાંસદ રમીલાબેન બારા અને પક્ષના આગેવાનો અને કાર્યકરો તેમજ શુભેચ્છકોએ મોટી સંખ્યામાં પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઇ પટેલના પક્ષના અદના કાર્યકરથી માંડીને રાજ્યમાં ભાજપના પ્રથમ મુખ્યમંત્રીપદ દરમિયાન કરવામાં આવેલા વિવિધ વિકાસ કાર્યો અને યોજનાઓને યાદ કરી તેઓના સંસ્મરણોને યાદ કર્યો હતો.