વિજાપુર-

શિક્ષણ એ જીવનના ઘડતરનો પાયો છે અને શિક્ષણથી જ કોઈ વ્યક્તિનું ભવિષ્ય ઉજળું થતું હોય છે તો હાલમાં ચાલી રહેલી કોરોના વાયરસની મહામારીએ શિક્ષણકાર્યમાં પણ અવરોધ ઉભો કર્યો છે. જાેકે શિક્ષણનો જ્ઞાન સાગર અવિરત રાખવા વિજાપુરના પિલવાઈ ખાતે આવેલ ગ્રાન્ટેડ શાળાના શિક્ષકો ઓનલાઈન શિક્ષણની સાથે એક નવતર પ્રયોગ કર્યો છે. મહેસાણા જિલ્લામાં પણ કોરોના વાઇરસનું સંક્રમણ વધી રહ્યું છે, ત્યાં છેલ્લા ચાર માસથી વિદ્યાર્થીઓ શાળાએ નથી જઈ શકતા તો શાળા દ્વારા આપવામાં આવતા ઓનલાઈન શિક્ષણમાં કયાંક નેટવર્કની તકલીફ તો મધ્યમ અને ગરીબ પરિવારના બાળકો પાસે સ્માર્ટ ફોન ન હોવાને લઈ ઓનલાઈન શિક્ષણ નથી લઈ શકતા, ત્યારે આજે વિજાપુર તાલુકાના પિલવાઈ ગામે શિક્ષણ જગતમાં ઉલટી ગંગા જાેવા મળી છે જ્યાં વિદ્યાર્થીઓ શાળાએ ન જઈ શકતા હવે શાળાના શિક્ષકો વિદ્યાર્થીઓના ઘરે જઈ એક એક વિદ્યાર્થીને ભણાવી રહ્યા છે.

મહત્વનું છે કે કોરોના કાળ આજે દેશમાં આર્થિક, સામજિક, ઉદ્યોગિક અને શિક્ષણ ક્ષેત્રે અવરોધ રૂપ સાબિત થયો છે ત્યાં પિલવાઈ ગામની આ ગ્રાન્ટેડ શાળાના શિક્ષકો વિદ્યાર્થીઓને પડતી ઓનલાઈન શિક્ષણમાં પડતી નેટવર્ક કે સ્માર્ટફોન ન હોવા સહિતની તકલીફ દૂર કરવા વિદ્યાર્થીઓના ઘરે ઘરે જઈ વિદ્યાર્થીઓને સેનેટાઇઝર અને માસ્ક ગિફ્ટમાં આપી શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચે સામજિક અંતર બનાવી રાખી જ્ઞાન સાગરને અવિરત રાખી રહ્યા છે.

જેમાં વિદ્યાર્થીઓને પણ શિક્ષક પોતાના ઘરે રૂબરૂમાં આવી ભણાવતા હોઈ ઓનલાઈન કરતા પણ સારી રીતે અભ્યાસનો અનુભવ લઈ રહ્યા છે. આજે આ મહમારી કાળમાં વિદ્યાર્થીઓના ભાવિની ચિંતા કરતા પિલવાઈની એક સામાન્ય ગ્રાન્ટેડ શાળાના શિક્ષકોએ ખરા અર્થમાં શિક્ષણ જગતના કોરોના યોદ્ધા તરીકે પ્રેરણાત્મક કાર્ય કરતા અન્ય શિક્ષકોને પણ માસ્ક સેનેટાઇઝર અને સામજિક અંતર સાથે શિક્ષણ આપવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.