સુરત-
શહેરમાં કોરોનાના રિકવરી રેટ 90 ટકા સુધી પહોંચી ગયો છે. સુરત શહેરમાં કોરોના વાઇરસનું સંક્રમણ સતત વધી રહ્યું છે. ત્યારે બીજી તરફ સાજા થયેલા દર્દીઓને પણ ફરી ઇન્ફેક્શનનું જોખમ ઊભું થયું છે. તેમજ સાજા થયેલા અનેક લોકોને શારીરિક તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે. મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીએ જણાવ્યું છે કે, સાજા થયેલા દર્દીઓ કેટલાક મહિના બાદ હૃદય ,ફેફસા અને શ્વાસોશ્વાસની મુશ્કેલી અનુભવી રહ્યા છે. જેથી મ્યુનિસિપલ તંત્ર દ્વારા કોવિડ ફોલોઅપ સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે. જેમાં કોવિડમાંથી સારા થયા બાદ જે તકલીફ થઈ રહી છે, તે શા માટે થાય છે, તેની માહિતી મેળવવામાં આવશે.
સુરત મનપાએ કોરોનામાં સાજા થયેલા લોકો માટે ફોલોઅપ સેન્ટર શરૂ કરશેકોરોના કાળમાં અત્યારસુધીમાં અંદાજે 1.34 લાખ પરપ્રાંતિય શ્રમિકો પરત આવ્યા બાદ ટેક્સટાઈલ ઉદ્યોગમાં સંક્રમણ વધી રહ્યું છે. સુરત મહાનગરપાલિકા દ્વારા કોરોના કાળમાં કોવિડ સેન્ટરની સાથે સુરતના સ્મીમેર હોસ્પિટલમાં કોવિડ ફોલોઅપ સેન્ટર શરૂ કરવામાં આવી રહ્યું છે. કોરોનાથી સારવારમાં સાજા થયેલા લોકોને પણ ફરી ઇન્ફેક્શનનું જોખમ હોય છે. સાજા થયેલા અનેક લોકોને શારીરિક તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે.આવા લોકો માટે પાલિકા દ્વારા આ ખાસ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments