ભૂજ/અમદાવાદ, સરહદી વિસ્તાર કચ્છ હમેશા પાણીની તંગીનો સામનો કરતું આવ્યું છે. ત્યારે રાજ્યના મુખ્યમંત્રી દ્વારા છેવાડાના માનવી માટે જીવનની અભિન્ન જરૂરીયાત પાણીનો વધુ જથ્થો ફાળવવાનો ર્નિણય કરવામાં આવ્યો છે. નર્મદાના પૂરના વધારાના પાણીમાંથી કચ્છને ૧ મિલીયન એકર ફિટ પાણી આપવા રૂ. ૩૪૭પ કરોડના કામો હાથ ધરવા મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ સૈદ્ધાંતિક મંજૂરી આપી છે.

ફેઇઝ-૧ હેઠળ ૩૪૭પ કરોડ રૂપિયાના અંદાજિત કામો ત્વરાએ જળસંપત્તિ વિભાગને હાથ ધરવામાં આવશે. કચ્છ જિલ્લાના રાપર, અંજાર, મુંદ્રા, માંડવી, ભૂજ અને નખત્રાણા એમ ૬ તાલુકાના ૯૬ ગામોની ર લાખ ૩પ હજાર એકર જમીનને નર્મદાના પાણીની સુવિધા આ કામોના પરિણામે મળતી થશે છ તાલુકાઓની ૩ લાખ ૮૦ હજાર માનવ વસ્તીને-લોકોને આ પાણીનો લાભ મળશે. આ યોજના અંતર્ગત કચ્છના સરણ જળાશય સહિત ૩૮ જળાશયોમાં નમર્દાનું પાણી નાખવાનું આયોજન કરવામાં આવ્યું છે. કચ્છ પ્રદેશના ચેક ડેમ અને તળાવોમાં પણ આ પાણી નાખવાના આયોજનથી ભૂગર્ભ જળ રિચાર્જ થશે.નર્મદા મૈયાના આ જળથી કચ્છના ખેડૂતો મબલખ પાક ઉત્પાદન લઇ આર્થિક સમૃદ્ધિ મેળવી શકશે તેમજ ઢોર-ઢાંખર માટે ઘાસચારાની સમસ્યા પણ હલ થશે. પાણીના અભાવે ઢોર-ઢાંખરનું થતું સ્થળાંતર અટકશે અને પશુઓને ઘાસચારો ઉપલબ્ધ થતાં દૂધ ઉત્પાદનમાં પણ વધારો થશે. જાેકે કચ્છ માટે સીએમ વિજય રૂપાણીએ કરેલી જાહેરાત મામલે કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા ડો. મનીષ દોશીએ પ્રતિક્રિયા આપતાં કહ્યું હતુંકે સરકાર પોકળ જાહેરાત જ કરે છૅ. વર્ષ ૨૦૦૨ માં પણ તત્કાલીન મુખ્યમંત્રીએ કચ્છ માટે જાહેરાત કરી હતી, જૅ જાહેરાત જ રહી ગઈ હતી. ૨૦૧૨ માં પણ કચ્છની ધરતી નવપલ્લવિત થશે એવી જાહેરાત થઈ હતી..તે પણ વાતોજ સાબિત થઇ હતી. સરકારની ૧૮ લાખ હેક્ટર માટે પાણી આપવાની યોજના સામે ૩ લાખ હેક્ટર જમીનને જ પાણી પહોંચે છે. તેમણે મોટો આરોપ લગાવતા કહ્યું હતું કે ભાજપની સરકાર સફેદ પાણીનો કાળો કરોબાર કરી રહી છે. ૨૦ વર્ષથી ભાજપની સરકાર નર્મદા મુદ્દે રાજકારણ કરી રહી છે..નહેરથી લઈને પાઇપ લાઇન દ્વારા પાણી પહોંચાડવાનું એક મોટું કૌભાંડ થયું છે..૨૦૦૧ પછી સતત આ નર્મદાના પાણીને લઈને રાજકારણ થયું છે..આજે પણ ૭૮ ટકા માઇનોર કેનાલનું કામ બાકી છે.