ભાવનગર, ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના વાટલીયા ગામે રહેતા અને આ ગામની સીમમાં વાડી ધરાવતા નનુભા જુવાનસિંહ સરવૈયા ઉંમર વર્ષ ૫૫ ગઈ કાલે રાત્રે નિત્યક્રમ મુજબ પોતાના ઘરેથી વાડીએ પાક રક્ષણ માટે ગયાં હતાં અને વાડીએ પહોંચી સુરક્ષા વ્યવસ્થા ના પાસાઓ તપાસી વાડીમાં આવેલ ઝુંપડીમાં સુવા ગયા હતા એ દરમિયાન મોડી રાત થી વહેલી પરોઢ સુધીના સમયમાં ઝાડી-ઝાંખરા માથી એકાએક આવી ચડેલ દીપડાએ મીઠી નીંદર માણી રહેલ ૫૫ વર્ષીય આધેડ નનુભા પર હુમલો કર્યો હતો અને ગંભીર રીતે ઈજા પહોંચાડી નાસી છુટ્યો હતો, આ ઘટનાની જાણ વહેલી સવારે શેઢા પાડોશી ને જાણ થતાં તેઓ દોડી આવ્યા હતા અને મૃતકના સ્વજનોને તથા ગામના સરપંચ તથા વન વિભાગને જાણ કરતાં લોકો ના ટોળા વાડીએ એકઠા થયા હતા જેમાં વનવિભાગ ના અધિકારીઓ તથા દાઠા પોલીસ નો કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો તથા પોલીસે મૃતદેહનો કબ્જાે લઈને પીએમ માટે તળાજા રેફરલ હોસ્પિટલમાં ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી જયારે વન વિભાગના અધિકારીઓ- કર્મચારીઓએ માનવ ભક્ષી દીપડાને ઝડપી લેવા ત્રણ થી વધુ જગ્યાએ ટ્રેપ ગોઠવી અંતરિયાળ વિસ્તારમાં સઘન શોધખોળ હાથ ધરી હતી આ પંથકમાં છાશવારે રાની પશુઓ દ્વારા માલધારીઓ ના દૂધાળા પશુઓના મારણ કરાય છે.