ગાંધીનગર, રાજ્યમાં અમદાવાદ રાજકોટ, સુરત, વડોદરા, જામનગર, ભાવનગર મહાનગરપાલિકામાં ૨૧ ફેબ્રુઆરીના રોજ મતદાન યોજાવાનું છે ત્યારે શુક્રવાર સાંજે ૫ વાગ્યા બાદ ચૂંટણી પ્રચાર પડઘમ શાંત ગયો હતો. આ પહેલા ભાજપ અને કોંગ્રેસ સહીત રાજકીય પાર્ટીઓ દ્વારા મતદારોને આકર્ષવા માટે એડી ચોટીનું જાેર લગાવ્યું હતું. રાજ્યમાં અમદાવાદ રાજકોટ, સુરત, વડોદરા, જામનગર, ભાવનગર મહાનગરપાલિકામાં ૨૧ ફેબ્રુઆરીના રોજ મતદાન યોજાવાનું છે ત્યારે શુક્રવારે સાંજે પાંચ વાગ્યા બાદ ચૂંટણી પ્રચાર પડઘમ શાંત થઈ ગયો છે. આ છ શહેરમાં સંપૂર્ણ આચારસંહિતાનો અમલ કરવાનો રહેશે. જેથી જાહેરમાં કોઈ પણ સભા કે રેલી કરી શકાશે નહીં અને સાંજના પાંચ વાગ્યાથી તમામ રાજકીય પક્ષો ડોર ટુ ડોર પ્રચારમાં જાેડાશે. રાજ્યની અમદાવાદ, સુરત, વડોદરા, જામનગર, રાજકોટ અને ભાવનગર કોર્પોરેશનમાં ૨૧ તારીખે મતદાન છે. ત્યારે કુલ ૧૪૪ વોર્ડમાં ૨૭૬ ઉમેદવારો ચૂંટણી મેદાને છે આ ૨૨૭૬ ઉમેદવારોનું ભાવિ ૨૧ ફેબ્રુઆરીના રોજ ઈવીએમ મશીનમાં સીલ થશે. લોકો મતદાનનો ઉપયોગ કરશે જ્યારે જૂનાગઢ કોર્પોરેશનના બે વોર્ડની પેટા ચૂંટણીમાં કુલ ૯ ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે.

આ ઉપરાંત જૂનાગઢ કોર્પોરેશનના બે વોર્ડની પેટા ચૂંટણીમાં ૧૪ લોકોએ ઉમેદવારી નોંધાવી હતી. જેમાંથી ત્રણ અમાન્ય રાખવામાં આવી છે અને ૧૧ ઉમેદવારી માન્ય રાખવામાં આવી છે જ્યારે એક બેઠક બિનહરીફ પણ જાહેર થઈ છે જે અમદાવાદ કોર્પોરેશનની છે. જ્યારે ૯૨ જેટલા ઉમેદવારોએ તેઓના ફોર્મ પરત ખેંચ્યા હતા. રાજકીય પક્ષોની જાે વાત કરવામાં આવે તો ૬ કોર્પોરેશનમાં દસ જેટલા રાજકીય પક્ષો ચૂંટણી મેદાનમાં છે. જેમાં મુખ્યત્વે ભારતીય જનતા પાર્ટી (ભાજપ), ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ (કાૅંગ્રેસ), આમ આદમી પાર્ટી(આપ), નેશનલિસ્ટ કોંગ્રેસ પાર્ટી (એનસીપી) વચ્ચે અનેક બેઠકો પર સીધી ટક્કર છે. અન્ય પક્ષોમાં બહુજન સમાજ પાર્ટી (બીએસપી), ભારતીય સામ્યવાદી પક્ષ (સીપીઆઈ), ભારતનો સામ્યવાદી પક્ષ, સમાજવાદી પાર્ટી (એસપી) જનતાદળ સેક્યુલર (જેડીએસ) અને ગુજરાતમાં સૌપ્રથમ વખત ચૂંટણી મેદાને ઝંપલાવી રહેલી ઑલ ઈન્ડિયા મજલીસ -એ- ઈત્તહુદુલ મસ્લીમીન (એઆઈએમઆઈએમ) સહિતના અન્ય અને અપક્ષ ઉમેદવારોએ પણ કોર્પોરેશનની ચૂંટણીમાં દાવેદારી નોંધાવી છે.

૨૧ ફેબ્રુઆરીના રોજ ૬ મહાનગરપાલિકામાં મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. ૨૧ ફેબ્રુઆરીના રોજ ૬ મહાનગર પાલિકામાં મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે જેમાં કુલ ૧,૧૪,૬૭,૩૫૮ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. આ મતદારોમાં કુલ ૬૦,૬૦,૫૪૦ જેટલા પુરુષો અને ૫૪,૦૬,૨૭૯ મહિલા મતદાર અને ૫૩૯ ટ્રાન્સજેન્ડર મતદાર નોંધાયા છે. આમ, કુલ ૧,૧૪,૬૭,૩૫૮ જેટલા મતદારો ૬ કોર્પોરેશન ચૂંટણીમાં મતદાન કરશે. તેમાંથી સૌથી વધુ ટ્રાન્સજેન્ડર મતદાર ૨૦૪ની સંખ્યા સાથે વડોદરા પ્રથમ સ્થાને છે. આમ, કુલ ૧,૧૪,૬૭,૩૫૮ જેટલા મતદારો ૬ કોર્પોરેશનની ચૂંટણીમાં મતદાન કરશે.

અમદાવાદમાં ભાજપ પ્રદેશ પ્રમુખનો મેગા રોડ શો

ગાંધીનગર, આજ સાંજથી અમદાવાદ સહીત મહાનગર પાલિકાની ચૂંટણીના પ્રચાર પડઘમ શાંત થઈ ગયા છે. ત્યારે આજે તમામ રાજકીય પાર્ટીઓએ છેલ્લી ઘડીનો પ્રચાર કરવા માટે એડીચોટીનું જાેર લગાવવામાં આવ્યું હતું. રાજ્યના અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર અને જામનગર મહાનગરપાલિકા માટે આજે પ્રચારનો અંતિમ દિવસ હતો. એટલે ભાજપ અને કોંગ્રેસ સહિતની પાર્ટીઓ અને ઉમેદવારો મતદારોને રિઝવવા માટે પુરજાેશમાં પ્રચાર કરવામાં આવ્યો હતો. જેમાં અમદાવાદમાં ભાજપના પ્રદેશ પ્રમુખ ચંદ્રકાંત પાટીલનો મેગા રોડ શો યોજવામાં આવ્યો હતો. જેમાં સાત વિધાનસભા મતવિસ્તાર અને વિવિધ વોર્ડમાં મહારેલીઓ યોજવામાં આવી હતી. જ્યારે રાજકોટ મહાનગરપાલિકાના ૧૮ વોર્ડમાં વિશાળ બાઈક રેલી યોજી ભાજપ દ્વારા પૂરજાેશમાં પ્રચાર કરાયો હતો. તો વડોદરામાં ભાજપ અને કોંગ્રેસે વોર્ડ વાઈઝ ઝંઝાવાતી પ્રચારનું આયોજન કરીને દિગ્ગજ નેતાઓએ મતદારોને રિઝવવા માટે ઝંઝાવાતી પ્રચાર કર્યો હતો. આમ તમામ મહાનગરપાલિકામાં મતદારોને રિઝવવા માટે રાજકીય પક્ષો દ્વારા છેલ્લી ઘડીનું પૂરજાેશ પ્રચાર કરવામાં આવ્યો હતો. કારણ કે, આજે સાંજથી પ્રચાર પડઘમ શાંત થઈ ગયા છે. સાંજે છ વાગ્યા બાદ ઉમેદવારો દ્વારા મતદારોને રિઝવવા માટે ફક્ત ઘરે ઘરે જઈને અને ખાટલા પરિષદ યોજી પ્રચાર કરાયો છે. રાજ્યમાં આગામી તા. ૨૧મી ફેબ્રુઆરીએ રાજ્યની છ મહાનગરપાલિકાની ચૂંટણી માટે મતદાન યોજાનાર છે. રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંતર્ગત છ મહાનગરપાલિકાઓની ચૂંટણી પ્રચારના અંતિમ દિવસે આજે અમદાવાદમાં ભાજપનો મેગા રોડ શો યોજાયો હતો. જેમાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ ચંદ્રકાંત પાટીલનો અમદાવાદમાં મેગા રોડ શો યોજાયો હતો. આ રોડ શો સાત વિધાનસભા વિસ્તાર અને ૧૭ થી વધુ વોર્ડમાં જાેરદાર પ્રચાર કરાયો હતો. અંદાજીત ૨૨ કિલોમીટરના લાંબા ભવ્ય રોડ શોથી પ્રચારના અંતિમ દિવસે ભાજપ દ્વારા મતદારોને રિઝવવા માટે એડીચોટીનું જાેર લગાવ્યું હતું. જેમાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ ચંદ્રકાંત પાટીલ સહિત કેબિનેટ મંત્રીઓ, સાંસદો, ધારાસભ્યો, શહેર પ્રભારી, શહેર પ્રમુખ સહિત ભાજપના આગેવાન અને મોટી સંખ્યામાં કાર્યકરો જાેવા મળ્યા હતા. જેમાં બે સ્થળોએ ભાજપના પ્રદેશ અધ્યક્ષ ચંદ્રકાત પાટીલે જાહેર સભાને પણ સંબોધી હતી. અમદાવાદમાં ભાજપ પ્રદેશ પ્રમુખ પાટીલ, રાજ્ય સરકારના મંત્રીઓ સહિતના આગેવાનોનો મેગા રોડ શો યોજાયો હતો. તો સુરત, રાજકોટ અને વડોદરામાં બાઈક રેલીનું આયોજન કરાયું હતું.