દિલ્હી-

દેશમાં કોરોના કેસ નવ લાખ સુધી પહોંચી ગયા છે અને હવે લોકડાઉનનો તબક્કો ફરી એક વાર પાછો ફરતો હોય તેવું લાગી રહ્યું છે. આજથી દેશના અનેક શહેરોમાં ફરીથી લોકડાઉન લાગુ કરવામાં આવી રહ્યું છે. તે સ્પષ્ટપણે કહી રહ્યું છે કે જીવનની ગતિ અટકાવવી એ કોરોનાને નિયંત્રિત કરવાનો એકમાત્ર રસ્તો માનવામાં આવે છે.

દિન-પ્રતિદિન કોરનાના કેસ નવો રેકોર્ડ બનાવી રહ્યાં છે. આજે કોરોનાનો આંકડો કુલ 9 લાખને પાર કર્યો છે. આઈએમએ કહ્યું કે, અત્યાર સુધીમાં કુલ 93 ડૉકટરનું કોરોનાના કારણે મૃત્યું થયું છે. વિશ્વ સ્વાસ્થય સંગઠનનું કહેવું છે કે, હજુ હાલત બગડી શકે છે.

આજ રાત્રેથી બેંગ્લુરુ સહિત દક્ષિણ કર્ણાટકમાં એક અઠવાડિયા માટે લૉકડાઉન લાગુ કરવામાં આવ્યું છે. મહારાષ્ટ્રના પુણે અને પિંપરી ચિંચવાડામાં આજ રાતથી 10 દિવસ સુધી લૉકડાઉન લાગુ કરવામાં આવશે. પુણેમાં 14 જુલાઈથી 23 જુલાઈ સુધી લૉકડાઉન લાગુ રહેશે. જમ્મુ-કાશ્મીરના કેટલાક વિસ્તારોમાં ફરીથી લૉકડાઉન લાગુ કરવામાં આવ્યું છે.ઉત્તરપ્રદેશમાં દર શનિવાર અને રવિવારે લૉકડાઉન લાગુ રહેશે. વારાણસીમાં 5 દિવસ સુધી અડધા દિવસનું લૉકડાઉન લાગુ કરાયું છે. જેમાં રાતે 4 કલાકથી લૉકડાઉન રહેશે. ફરીથી શહેરોમાં સન્નાટો જોવા મળશે. લૉકડાઉન ફરી આવી રહ્યું છે, પરંતુ સાચો રસ્તો એ છે કે, લોકો ખુદ પોતાની સંભાળ-સાવચેતી રાખી માસ્કનો ઉપયોગ કરી તેમજ સોશિયલ ડિસ્ટેસિંગ રાખે.