અમદાવાદ-

ભગવાન જગન્નાથની 144 મી રથયાત્રાને લઈને તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. દર વર્ષ ની જેમ આ વર્ષે પણ ભગવાન ના મામેરા ને લઈને યજમાનો મા ઉત્સુકતા હોય છે. ભગવાન ના મામેરાનો લહાવો મળે તે માટે યજમાનો રાહ જોતા હોય છે. ત્યારે આ વર્ષે ભગવાનની 144 મી રથયાત્રા ના મામેરાનો લહાવો અમદાવાદ જોધપુર ખાતે રહેતા મહેશ ભાઈ ભગવાન ભાઈ ને મળ્યો છે. આજે ભગવાન ના મોસાળ ના એવા સરસપુર મંદિર ખાતે બેઠક નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મામેરાના યજમાન પર મહોર લાગવામાં આવી હતી. ભગવાન જગન્નાથજીની રથયાત્રા અંગે મોટા સમાચાર સામે આવ્યા છે. પરંપરાગત રથયાત્રા કાઢવા માટે પોલીસ કમિશનર પાસે પરવાનગી માગવામાં આવી છે. રથયાત્રામાં રથ, ભજન મંડળી, ગજરાત, અખાડા સાથે આયોજન કરવાની પરવાનગી માંગવામાં આવી છે.