ભગવાન જગન્નાથની રથયાત્રા ને હવે ગણતરીના દિવસો બાકી છે. જલયાત્રા બાદ ભગવાનના રથને તૈયાર કરવામાં આવી રહ્યા છે.


ભગવાનના રથનું સમારકામ કરવામાં આવી રહ્યું છે. જોકે ગત વર્ષે ભગવાનની રથયાત્રા મંદિર પરિસરમાં યોજી હતી.


પરંતુ આ વર્ષે દરેકને આશા છે કે ભગવાન નગર ચર્યાએ નીકળશે જેને લઈને ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા , અને ભાઈ બલરામના રથનું સમારકામ કરવામાં આવી રહ્યું છે.