વડોદરા, તા.૨૭
વરસોની પરંપરા મુજબ અષાઢી એકાદશી નિમિત્તે માંડવી Âસ્થત ઐતિહાસિક વિઠ્ઠલનાથજી મંદિરથી નીકળતો ભગવાન વિઠ્ઠલનાથજીનો વરઘોડો આ વરસે કોરોનાની મહામારીના કારણે રાજમાર્ગો ઉપર નહીં નીકળે, નાના રથમાં મંદિરના પરિસરમાં જ નીકળશે. માંડવી Âસ્થત દેવસ્થાન ટ્રસ્ટ સંચાલિત વિઠ્ઠલનાથજી મંદિરથી વર્ષમાં બે વાર ભગવાન નગરચર્યાએ નીકળે છે પરંતુ આ વરસે કોરોના મહામારીના કારણે પોલીસ વિભાગ દ્વારા પરવાનગી આપવામાં નહીં આવતાં તા.૧ જુલાઈ દેવપોઢી એકાદશીએ નીકળનાર ભગવાન વિઠ્ઠલનાથજીનો વરઘોડો આ વરસે જાહેર માર્ગો ઉપર નહીં નીકળે. વિઠ્ઠલનાથજી મંદિરના મુખીયાજી હરિઓમ વ્યાસે જણાવ્યું હતું કે, ભગવાન ભક્તોને દર્શન આપવા નગરચર્યાએ નહીં નીકળે પરંતુ રાજવી પરિવાર દ્વારા સવારે પરંપરા મુજબ ભગવાનની પૂજા-અર્ચના બાદ મંદિર પરિસરમાં નાના રથમાં ભગવાન વિઠ્લનાથજી પધારશે. એકાદશીએ ભક્તો સવારે ૧૦ થી ૧ અને સાંજે ૪ થી ૭ સુધી દર્શન કરી શકશે. જા કે, માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગ રાખવું જરૂરી છે. આમ ભગવાન જગન્નાથજીની રથયાત્રા બાદ વિઠ્ઠલનાથજીનો વરઘોડો આ વરસે કોરોનાની મહામારીના કારણે નહીં નીકળે અને પરંપરા મુજબ તમામ કાર્યક્રમો મંદિર પરિસરમાં જ યોજાશે.
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments