બનાસકાંઠા-

જિલ્લાના અમીરગઢ તાલુકાના ઇકબાલગઢ ગામે ચાલુ વર્ષે ખેડૂતોએ મગફળીનું મોટા પ્રમાણમાં વાવેતર કર્યું હતું. ખાસ કરીને છેલ્લા ઘણા સમયથી ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકસાન થઈ રહ્યું હતું. ત્યારે ચાલુ વર્ષે બનાસકાંઠા જિલ્લામાં સાર્વત્રિક વરસાદના કારણે ઇકબાલગઢ ગામે ખેડૂતોએ મોટા પ્રમાણમાં સારી આવકની આશા મગફળીનું વાવેતર કર્યું હતું. ખેડૂતોએ પોતાના ખેતરમાંથી મગફળી નીકળવાનું શરૂ કયું છે અને મગફળીનો પાક છે. તે ઇકબાલગઢ માર્કેટયાર્ડ ખાતે મોકલવાની શરૂઆત કરી છે. જેના કારણે હાલ ઇકબાલગઢ માર્કેટયાર્ડમાં રોજની 500થી પણ વધુ બોરીની આવક થઈ રહી છે. ટેકાના ભાવે ખરીદી શરૂ થતાં હાલ તમામ મગફળી ખેડૂતો ઇકબાલગઢ માર્કેટયાર્ડમાં વેપારીઓને આપી રહ્યા છે. છેલ્લા બે દિવસથી પડી રહેલા ભારે વરસાદના કારણે ખેડૂતો અને મગફળીના વેપારીઓને મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. ખાસ કરીને ઇકબાલગઢ ખાતે હાલમાં રોજની 500થી પણ વધુ મગફળીની બોરીની આવક થઈ રહી છે. જેના કારણે સતત વરસી રહેલા વરસાદના કારણે માર્કેટયાર્ડમાં બહાર પડેલી મગફળીમાં પાણી ભરાઇ જતાં મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.