મહીસાગર-

રાજ્યમાં દિવાળીના તહેવાર બાદ કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે, ત્યારે જિલ્લામાં પણ કોરોનાના કેસમાં દિવસેને દિવસેને વધારો થતા જિલ્લા વહીવટી તંત્ર સર્તક બન્યું છે. કોરોનાના વધતા કેસને લઈ જિલ્લાના સંતરામપુરમાં કોવિડ હોસ્પિટલ તૈયાર કરવામાં આવી છે. જિલ્લાના સંતરામપુરમાં 50 બેડની હોસ્પિટલ તૈયાર કરવામાં આવી છે. ઓક્સિજન સહિત તમામ વ્યવસ્થા સાથેની સંપૂર્ણ સુવિધાઓથી સજ્જ હોસ્પિટલ તૈયાર કરવામાં આવી છે. જેથી જો કોરોનાના કેસ હજુ પણ વધે તો કોરોના દર્દીને સારી સારવાર આપી શકાય અને દર્દી સ્વસ્થ થઈ પોતાના ઘરે જઈ શકે. દિવાળીના તહેવારો બાદ સમગ્ર ગુજરાતમાં કોરોનાના કેસમાં ચિંતાજનક વધારો થયો છે, ત્યારે મહીસાગર જિલ્લામાં પણ દિવાળીના તહેવાર બાદ કોરોનાના કેસમાં વધારો થતા જિલ્લા વહીવટી તંત્ર અને જિલ્લા આરોગ્ય વિભાગ સતર્ક બન્યું છે.