દિલ્હી-

અમેરિકા, કેનેડા, યુકે અને જર્મની સહિત વિશ્ર્‌વના અનેક દેશોએ ભારતીય વિદ્યાર્થીઓ માટે પ્રવાસ નિયંત્રણો હળવાં કર્યાં છે. કોરોનાને કારણે નિર્માણ પામેલી પરિસ્થિતિમાં સુધારો થાય તેવા સંજાેગોમાં વિશ્ર્‌વના બીજા દેશો પણ ભારતીય વિદ્યાર્થીઓ માટે પ્રવાસ નિયંત્રણો હળવાં કરે તેવી શક્યતા છે. રાજ્યકક્ષાના વિદેશી બાબતોના પ્રધાન વી. મુરલીધરને રાજ્યસભામાં કહ્યું હતું કે વિદેશી યુનિવર્સિટીઓમાં ઍડમિશન મેળવનારા ભારતીય વિદ્યાર્થીઓ માટે પ્રવાસ નિયંત્રણો હળવાં કરવા માટે સરકાર બનતા તમામ પ્રયાસ કરી રહી છે. કોરોનાની બીજી લહેરને પગલે અનેક દેશોએ ભારતીયો માટે પ્રવાસ નિયંત્રણો લાદ્યાં હતાં.