વાઘોડિયા, તા.૭ 

સાવલીથી વડોદરા પોતાના પિયર જવા નિકડેલ ૨૩ વર્ષની પરણીતા તેના ૩ વર્ષના પુત્રસાથે જરોદ બસસ્ટેન્ડ પાસેથી ગુમ થતા પતીએ જરોદ પોલીસ મથકે ગુમશુદ્દાની જાહેરાત નોંધાવી હતી.

સાવલી રહેતા ધિરેન્દ્ર સિંહ ચૌહાણના લગ્નજીવનમા ત્રણ વર્ષનો જયરાજસિંહ નામનો પુત્રરત્ન પામેલ છે. ઘરે તેમની પત્ની બિનાન્કીબેન ઊમર વર્ષ ૨૩ તેમના ત્રણ વર્ષના પુત્ર જયરાજસિંહને પાપડી ખવરાવી રહ્યા હતા ત્યારે પાપડી નીચે પડી જતા પરણીતાને પતીએ ઠપકો આપતા પુત્ર રડવા લાગ્યો હતો. જેથી પરણીતાને માઠુ લાગી જતા પતીને પોતાની બહેનની ૧૦ તારીખે બર્થડે હોય અત્યારે જ પિયર જાઊ છે કહી કપડા પહેરી તૈયાર થયા હતાં. જેથી પતિએ પોતાના મામાના છોકરા મહાવીરને મોટર સાઈકલઆપી પત્નીઅને પુત્રને તેના પર બેસાડી જરોદ બસ સ્ટેન્ડ પર વડોદરા જવા રિક્ષામા બેસાડવા મોકલ્યો હતો. ત્યારબાદ થોડા કલાકોમા પોતાની પત્ની બિનાન્કી ઘરે પહોંચી છે કે કેમ તે અંગે સસરાને ફોન કરતા બિનાન્કી ઘરે નથી પહોંચી હોવાનું સસરાએ જણાવેલ હતુ.